Plane crash :અમદાવાદ પ્લેન ક્રેશમાં મુંબઈનો પરિવાર વિખેરાયો, 4 લોકોએ જીવ ગુમાવ્યા
- અમદાવાદ પ્લેન ક્રેશમાં મુંબઈનો પરિવાર વિખેરાયો
- જાવેદ અલી 6 દિવસ માટે ભારત આવ્યા હતા
- તેની માતાની સર્જરી મુંબઈ આવ્યા હતા
MUMBAI : અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ (Ahmedabad Plane Crash)થતાં 242 લોકોમાંથી 241 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં એક NRI પરિવાર પણ હતો. માહિતી અનુસાર, આ અકસ્માતમાં મૂળ મુંબઈના રહેવાસી જાવેદ (Javed)અલીનો આખો પરિવાર (family)મૃત્યુ પામ્યો હતો. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યા હતા અને પોતાની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યા હતા.
અકસ્માત બાદ પરિવારમાં શોકનો માહોલ
માહિતી અનુસાર, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જાવેદ અલી (૩૭ વર્ષ), તેમની પત્ની મરિયમ અલી (૩૫ વર્ષ) અને બે બાળકોનું મૃત્યુ થયું હતું. જાવેદના આઠ વર્ષના પુત્ર જયાન અલી અને ચાર વર્ષની પુત્રી અમીન અલીનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ પરિવારમાં શોકનો માહોલ છે.
VIDEO | Ahmedabad: Ayub Sheik, maternal uncle of Javed Ali who along with his wife and children were on the crashed Air, mourns the tragic loss of his family. He says, “My Nephew, his wife and children were here for a holiday. While they were returning, we got to know that an… pic.twitter.com/GwJWv6bSIr
— Press Trust of India (@PTI_News) June 13, 2025
આ પણ વાંચો - AHMEDABAD : ગુજરાત ATS ને મળ્યું ડીવીઆર, દૂર્ઘટનાનું કારણ શોધવા તપાસ શરુ
તેની માતાની હાર્ટ સર્જરી માટે મુંબઈ આવ્યા હતા
જાવેદ અલીના પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે જાવેદ અલી 6 દિવસ માટે ભારત આવ્યા હતા. તે તેની માતાની હાર્ટ સર્જરી માટે મુંબઈ આવ્યા હતા. તેમની પત્ની લંડનની હતી. તેઓ ત્યાં સ્થાયી થયા હતા. જાવેદને બે બાળકો હતા. એક પુત્ર ૮ વર્ષનો અને એક પુત્રી 4 વર્ષની હતી.પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે તેમના સગા રફીક શેખ છે. તેઓ સવારથી જ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની બહાર બેઠા છે. તેમની પત્ની પણ તેમની સાથે છે.
આ પણ વાંચો - Ahmedabad plane crash : 10x10 ના ઘરમાં એરહોસ્ટેસનું સપનું જોયું પણ....
વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા
તમને જણાવી દઈએ કે અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI 171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 1.40 વાગ્યે ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. આ અકસ્માતમાં ઘણા લોકોના પરિવારો બરબાદ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા લોકોએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.