Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM મોદીએ ફુજૈરા હુમલાની કરી કડક નિંદા, ‘ભારત મજબૂતી સાથે UAE ની સાથે ઊભું છે’

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરા પર થયેલા ભયાનક ડ્રોન અને મિસાઈલ હુમલામાં ભારતીયો ઘાયલ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે કડક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર અને તેલના ભાવ પર મોટી આફત આવવાના સંકેતો મળી રહ્યા છે. શું આ હુમલો કોઈ મોટા વિનાશની શરૂઆત છે? ભારતનું આગામી પગલું શું હશે તે જાણવું ખૂબ જરૂરી છે.
pm મોદીએ ફુજૈરા હુમલાની કરી કડક નિંદા  ‘ભારત મજબૂતી સાથે uae ની સાથે ઊભું છે’
Advertisement
  • UAE ના ફુજૈરા પર ડ્રોન અને મિસાઈલ હુમલો (PM Modi Condemns UAE Drone Attack)
  • હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો થયા ઘાયલ
  • વડાપ્રધાન મોદીએ ઘટનાને ગણાવી 'અસ્વીકાર્ય'
  • હોર્મુઝ સ્ટ્રેટમાં ઊર્જા સુરક્ષા સામે મોટું જોખમ

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરા (Fujairah) શહેર પર થયેલા ડ્રોન હુમલા બાદ પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો (Indian Citizens) ઘાયલ થયા હોવાની પુષ્ટિ મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) એ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. UAE એ આ હુમલા પાછળ ઈરાન (Iran) નો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે.

PM Modi Condemns UAE Drone Attack  : નાગરિકો પર હુમલો અસ્વીકાર્ય

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "હું UAE પર થયેલા આ ડ્રોન હુમલાની (Drone Attack) કડક નિંદા કરું છું. નિર્દોષ નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે." વડાપ્રધાને ઘાયલ થયેલા ભારતીયો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ભારત UAE સાથે મજબૂતીથી ઉભું હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે તમામ વિવાદોનો ઉકેલ રાજદ્વારી વાટાઘાટો (Diplomacy) દ્વારા લાવવા પર ભાર મૂક્યો હતો.

Advertisement

Advertisement

હોર્મુઝ સ્ટ્રેટમાં ઊર્જા સુરક્ષાનું જોખમ

વડાપ્રધાને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) દ્વારા સુરક્ષિત નૌકાયાનની જરૂરિયાત સમજાવતા કહ્યું કે, પ્રાદેશિક શાંતિ અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા (Global Energy Security) માટે આ રૂટ સુરક્ષિત રહેવો અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના તેલ અને ગેસના કુલ વેપારનો અંદાજે 20% હિસ્સો આ સાંકડી સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. અમેરિકા (USA) અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે આ રૂટ પર અસર પડી રહી છે, જેની સીધી અસર તેલના વૈશ્વિક ભાવ (Oil Prices) અને ઊર્જા સંકટ પર પડી રહી છે.

UAE સંરક્ષણ મંત્રાલયનો જવાબ

સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે સોમવારે (4 મે) ઈરાન તરફથી છોડવામાં આવેલી 12 બેલિસ્ટિક મિસાઈલ (Ballistic Missiles), 3 ક્રુઝ મિસાઈલ અને 4 ડ્રોનને તેમની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડ્યા હતા. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ દેશની સુરક્ષા સામેના કોઈપણ જોખમનો સામનો કરવા માટે સજ્જ છે.

આ પણ વાંચો : Iran UAE Conflict : ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, 3 ભારતીય ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×