ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ બાગેશ્વર ધામ કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો, 7 જિલ્લાના કેન્સરના દર્દીઓને થશે ફાયદો

PM મોદી આજથી મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે છે. તેઓ રવિવારે બપોરે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે બાલાજી મંદિરમાં પૂજા કરી હતી.
03:55 PM Feb 23, 2025 IST | MIHIR PARMAR
PM મોદી આજથી મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે છે. તેઓ રવિવારે બપોરે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે બાલાજી મંદિરમાં પૂજા કરી હતી.
pm modi balaji temple

PM Modi at Bageshwar Dham: પીએમ મોદી આજે (રવિવાર) બપોરે બાગેશ્વર ધામ પહોંચ્યા. અહીં બાલાજી મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ તેમણે કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર હતા.

બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે. પીએમ મોદી બપોરે 2 વાગ્યે અહીં પહોંચ્યા હતા. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમની યજમાની કરી હતી. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી તેમને બાલાજી મંદિર લઈ ગયા. અહીં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી અને ફૂલ અર્પણ કર્યા.

'બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'નો શિલાન્યાસ

અહીંથી પીએમ મોદી સીધા મંચ પર પહોંચ્યા. અહીં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના માટે સ્વાગત પ્રવચન આપ્યું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે થોડા શબ્દો કહ્યા. આ પછી, પીએમ મોદીએ બટન દબાવીને 'બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'નો શિલાન્યાસ કર્યો.

આ પણ વાંચો :  મહિલા દિવસ પર PM Modi પ્રેરણાદાયી મહિલાઓને પોતાનું X તથા Instagram એકાઉન્ટ્સ સોંપશે

મોદીઓ કહ્યું.....

અહીં જનતાને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ બુંદેલખંડીમાં પોતાનું ભાષણ શરૂ કર્યું. બાગેશ્વર ધામનો જયઘોષ કર્યા બાદ તેમણે કહ્યું, 'અપુન ઔરન ખો મોરી તરફ સે દોઇ હાથ જોડીકે રામ-રામ જૂ...' આ પછી પીએમ મોદીએ કહ્યું, 'મિત્રો, આજકાલ નેતાઓનું એક જૂથ છે જે ધર્મની મજાક ઉડાવે છે. તેઓ એવા લોકો છે જે હિન્દુઓની આસ્થાને નફરત કરે છે. તેઓ આપણી માન્યતાઓ, સંસ્કૃતિ અને મંદિરો પર હુમલો કરે છે અને આપણા તહેવારો અને પરંપરાઓનો દુરુપયોગ કરે છે.

આવી છે બાગેશ્વર ધામની કેન્સર હોસ્પિટલ

બાગેશ્વર ધામની આ નવી હોસ્પિટલ 252 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. 2.37 લાખ ચોરસ ફૂટમાં બનેલી આ હોસ્પિટલ નજીકના સાત જિલ્લાના કેન્સરના દર્દીઓ અને અન્ય લોકોને સારવાર પૂરી પાડશે. રોગોથી પીડિત લોકોને લાભ મળશે. આ ઇમારતમાં કુદરતી પ્રકાશ અને ઓછામાં ઓછો અવાજ હશે. તેનો આકાર પિરામિડ જેવો હશે. ગ્રાઉન્ડ ફ્લોર 4124 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે જ્યારે ઉપરનો માળ 816 ચોરસ મીટરનો હશે.

આ પણ વાંચો :  NTA એ જાહેર કર્યું JRF UGC NET નું પરિણામ, કેવી રીતે ચેક કરશો? આ રહી રીત

Tags :
BageshwarbalajibageshwardhamCancerHospitalcancertreatmentChhatarpurDhirendraKrishnaShastriHealthcareReformHospitalFoundationIndianHealthcareMadhyaPradeshMedicalInfrastructureModiInMPMohanYadavPMModiSpiritualityAndHealth
Next Article