ભૂટાનથી પરત ફરતા જ વડાપ્રધાન મોદીએ દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની કરી મુલાકાત
- દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, આપી કડક ચેતવણી (PM MODI LNJP HOSPITAL)
- PM મોદી ભૂટાનથી પાછા ફરતા સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા
- તેમણે ઘાયલો સાથે મુલાકાત કરી, કહ્યું: "ષડયંત્રકારીઓ મુકાશે નહીં."
- દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ હવે NIA સંભાળશે
- બ્લાસ્ટ કારમાં ડૉ. ઉમર હતો કે નહીં, તેની DNA તપાસ ચાલુ
PM MODI LNJP HOSPITAL : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ભૂટાન પ્રવાસ પરથી પરત ફરી ચૂક્યા છે. દિલ્હીમાં લેન્ડ થયા પછી તેઓ સીધા પીએમ આવાસ જવાને બદલે એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ ભૂટાનમાં પણ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ ષડયંત્રકારીને છોડવામાં આવશે નહીં. દિલ્હી બ્લાસ્ટને લઈને આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક પણ યોજાવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવાર પહેલાં જ ભૂટાનથી પાછા ફર્યા છે. એલએનજેપી હોસ્પિટલ પહોંચીને તેમણે બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી અને તેમને શક્ય તમામ મદદનો ભરોસો આપ્યો હતો. અહીં તેમણે ડૉક્ટરોની ટીમ સાથે પણ વાતચીત કરી હતી. પીડિતો સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે ષડયંત્ર કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
વડાપ્રધાન મોદી દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની કરી મુલાકાત
ઘાયલોને મળીને વડાપ્રધાન મોદીએ ખબરઅંતર પૂછ્યા
LNJP હોસ્પિટલમાં ઘાયલોને મળી રહ્યાં વડાપ્રધાન મોદી
PM મોદીએ હોસ્પિટલના તબીબો પાસેથી મેળવી જાણકારી
PM મોદીએ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી@PMOIndia @narendramodi #PMModi… pic.twitter.com/wlt4vgZbVw— Gujarat First (@GujaratFirst) November 12, 2025
NIA કરી રહી છે સમગ્ર મામલાની તપાસ – Delhi Blast Investigation NIA
લાલ કિલ્લા મેટ્રો બ્લાસ્ટ (Red Fort Metro Blast) કેસમાં દિલ્હી પોલીસે કોતવાલી પોલીસ સ્ટેશનમાં UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદો) ની કલમ 16 અને 18, એક્સપ્લોઝિવ એક્ટ અને BNS ની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. જોકે, સમગ્ર મામલાની તપાસ NIA (National Investigation Agency) ને સોંપવામાં આવી છે.
કારમાં ડૉ. ઉમર હતો કે નહીં? – Terrorist Dr Umar Pulwama
આતંકવાદી ડૉ. ઉમર પુલવામાના કોઇલનો રહેવાસી હતો. તેણે 2017માં ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ શ્રીનગરથી MBBS કર્યું હતું. લાલ કિલ્લા પાસે જે કારમાં બ્લાસ્ટ થયો છે, તેમાં આતંકવાદી ઉમર હાજર હોવાની આશંકા છે. જોકે, હજુ સુધી તે નક્કી થઈ શક્યું નથી કે ઉમર કારમાં હતો કે નહીં. હાલમાં ડીએનએ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે, જે પછી જ નક્કી થઈ શકશે કે ઉમર કારમાં સવાર હતો કે નહીં.
- સુરક્ષા એજન્સીઓએ અલ ફલાહ યુનિવર્સિટી, ધૌજ, ફતેહપુર તાગા, ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં પણ તપાસ કરી છે. ડૉ. ઉમર અહીં ભણાવતો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો – Delhi Blast Victims Postmortem
બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મૃતકોના કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટી ગયા હતા. આ ઉપરાંત, મૃતદેહોમાં હાડકાં તૂટ્યાના, માથા પર ઈજાના નિશાન અને ગંભીર ઈજા તેમજ વધુ પડતું રક્તસ્રાવ થવાથી મૃત્યુ થયાનું કારણ દર્શાવવામાં આવ્યું છે.


