Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તહવ્વુર રાણાને લઈને PM મોદીનો 15 વર્ષ જૂનો Video viral, જાણો શું કહ્યું હતું

26/11ના ઘાતક હુમલામાં મદદ કરવાના આરોપોમાંથી અમેરિકા દ્વારા તહવ્વુર રાણાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ પીએમ મોદીએ વિદેશ નીતિની ટીકા કરી છે
તહવ્વુર રાણાને લઈને pm મોદીનો 15 વર્ષ જૂનો video viral  જાણો શું કહ્યું હતું
Advertisement
  • તહવ્વુર રાણાને લઈને PM મોદીનો 15 વર્ષ જૂનો વીડિયો વાયરલ
  • વીડિયોમાં PM મોદી તહવ્વુર રાણા પર ટિપ્પણી કરી રહ્યા છે
  • PM એ ટ્વિટર પર તહવ્વુર રાણા વિશે એક પોસ્ટ પણ લખી હતી

PM Modi's video goes viral: 2011 માં મુંબઈમાં થયેલા 26/11ના ઘાતક હુમલામાં મદદ કરવાના આરોપોમાંથી અમેરિકા દ્વારા તહવ્વુર રાણાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ પીએમ મોદીએ વિદેશ નીતિની ટીકા કરી છે. હવે જ્યારે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે, ત્યારે પીએમ મોદીનો 15 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાણા 18 દિવસ માટે NIA કસ્ટડીમાં

26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે. આ પછી કોર્ટે રાણાને 18 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે તપાસ એજન્સી 2008ના હુમલાના સમગ્ર કાવતરા અંગે આરોપીઓની પૂછપરછ કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

PM મોદીની તહવ્વુર રાણા પર ટિપ્પણી

આ વીડિયો વર્ષ 2011નો છે, જેમાં PM મોદી તહવ્વુર રાણા પર ટિપ્પણી કરી રહ્યા છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે પીએમ મોદી કેન્દ્રમાં વિપક્ષમાં હતા અને ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે દરમિયાન, પીએમ મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી તહવ્વુર રાણા વિશે એક પોસ્ટ પણ લખી હતી. ટ્વીટમાં, PMએ લખ્યું કે, "મુંબઈ હુમલામાં તહવ્વુર રાણાને નિર્દોષ જાહેર કરતા અમેરિકાએ ભારતની સાર્વભૌમત્વનું અપમાન કર્યું છે અને તે "વિદેશ નીતિનો મોટો ફટકો" છે.

Advertisement

UPA સરકારની વિદેશ નીતિની ટીકા

તે સમયે, 2011 માં મુંબઈમાં થયેલા ઘાતક 26/11 હુમલામાં મદદ કરવાના આરોપોમાંથી તહવ્વુર રાણાને અમેરિકા દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ વડા પ્રધાન મોદીએ યુપીએ સરકારની વિદેશ નીતિની ટીકા કરી હતી. વીડિયોમાં, પીએમ મોદીએ કહ્યું, "અમેરિકાના શિકાગોની એક કોર્ટે રાણાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આનાથી આતંકવાદ સામે લડતી દરેક શક્તિ અને દરેક સરકાર માટે એક નવો પ્રશ્ન ઉભો થયો છે.

આ પણ વાંચો : Delhi માં પ્રોપર્ટી ડીલરની ગોળી મારીને હત્યા, 10 રાઉન્ડ ફાયરિંગ, વિસ્તારમાં ભયનો માહોલ

ભારત સરકારે અમેરિકા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ

મને આશા છે કે ભારત સરકાર આ મુદ્દા પર તાત્કાલિક પ્રતિક્રિયા આપશે."પીએમએ કહ્યું હતું કે, "ભારત સરકારે અમેરિકા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ અને પાકિસ્તાન પ્રત્યે અમેરિકાના વલણ વિરુદ્ધ કડક નિર્ણયો લેવા જોઈએ. આ સમયની માંગ છે. નહિંતર, એક પછી એક ગુનેગારો અમેરિકા તરફ આગળ વધતા રહેશે. તેમના કેસોની સુનાવણી અમેરિકન કોર્ટમાં થશે અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવશે.

યુઝર્સની પ્રતિક્રિયા

વડા પ્રધાનની પ્રતિક્રિયા અમેરિકા દ્વારા રાણાને 26/11 ના મુંબઈ હુમલામાં તેમની ભૂમિકા સંબંધિત આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યાના પ્રતિભાવમાં હતી, જેમાં 166 લોકો માર્યા ગયા હતા અને 300 અન્ય ઘાયલ થયા હતા. હવે જ્યારે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે, ત્યારે પીએમ મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે પીએમ મોદીએ બીજું વચન પૂરું કર્યું છે. જ્યારે બીજાએ લખ્યું કે મોદી ભારતના દુશ્મનોને ક્યારેય ભૂલતા નથી.

કોણ છે તહવ્વુર રાણા? તેને ભારતમાં લાવ્યા પછી આગળ શું થશે?

તહવ્વુર રાણા એ જ વ્યક્તિ છે જેણે મુંબઈ હુમલાની ષડયંત્ર રચ્યું હતું. તહવ્વુરને ભારત લાવવાની લાંબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે તેને સજા આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સાંજે 6:15 વાગ્યે તહવ્વુર રાણાને લઈ જતી એક ખાસ ફ્લાઇટ પાલમ એરપોર્ટ પર ઉતરી ત્યારે NIAની ટીમે પહેલા તેને 26/11 મુંબઈ હુમલાના આરોપસર ધરપકડ કરી હતી અને ત્યારબાદ એરપોર્ટ પર જ તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો. તેને સીધો કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણને NIAનો પક્ષ રજૂ કર્યો અને પૂછપરછ માટે કસ્ટડીની અપીલ કરી.

આ પણ વાંચો : તહવ્વુર રાણા હાઈ-સિક્યોરિટી સેલમાં બંધ, 12 અધિકારીઓને મળવાની મંજૂરી, 8 એજન્સીઓ પૂછશે સવાલ

તહવ્વુર રાણા માટે ટકી રહેવું મુશ્કેલ

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને કોઈ ભૂલી શક્યું નથી. આ હુમલામાં સામેલ ઘણા આતંકવાદીઓને તેમના કૃત્યો માટે સજા મળી છે, પરંતુ આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ હજુ પણ જીવિત છે, અને હવે તેનો વારો છે. શું તહવ્વુર રાણા, જેને છેલ્લા 16 વર્ષથી ભારત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેને હવે ફાંસી આપવામાં આવશે? દરેક ભારતીય આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે તેહવ્વુર રાણા માટે ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. NIA તેની સામે એટલો મજબૂત કેસ તૈયાર કરી રહી છે કે તેને વહેલી તકે સજા થઈ શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તહવ્વુર રાણાની પૂછપરછ માટે NIA હેડક્વાર્ટરમાં એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં ફક્ત 12 લોકોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આ 12 લોકોમાં NIAના વરિષ્ઠ અધિકારીઓ અને કેટલાક અન્ય સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે. હવે જે કોઈ તહવ્વુર રાણા સાથે વાત કરવા માંગે છે તેણે પહેલા NIA અધિકારીઓની પરવાનગી લેવી પડશે. NIA 26/11 મુંબઈ હુમલાને લગતા કેટલાક મહત્વપૂર્ણ ફોટોગ્રાફ્સ, વીડિયો, ઈમેઈલ અને કેટલાક વોઈસ રેકોર્ડિંગ્સ તહવ્વુર રાણાને બતાવશે અને પછી તેને લગતા સવાલ જવાબ કરશે.

આ પણ વાંચો : Bhopal માં વક્ફ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન, મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ઉગ્ર વિરોધ

Tags :
Advertisement

.

×