Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi ની અપીલ, ઈંધણનો ઉપયોગ-વિદેશ પ્રવાસ ઘટાડવા જણાવ્યું

PM Modi આજે તેલાંગણાની મુલાકાતે હતા, હૈદરાબાદમાં એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી વિશે મહત્વપૂર્ણ ટિપ્પણી કરીને વડા પ્રધાન મોદીએ તેલંગાણામાં નવી રાજકીય ચર્ચા જગાવી છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, હવે આપણા રેવંતજીએ કહ્યું હતું કે, આપણે અહીં રાજકારણની વાત નહીં કરીએ. હું રેવંતજીને kહીશ કે, ભારત સરકારેગુજરાતને જે કંઈ આપ્યું છે તે હું તમને આપવા તૈયાર છું.
pm modi ની અપીલ  ઈંધણનો ઉપયોગ વિદેશ પ્રવાસ ઘટાડવા જણાવ્યું
Advertisement
  • PM Modi આજે તેલાંગણાની મુલાકાતે હતા
  • દરમિયાન દેશના નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો
  • કોરોના મહામારી કાળના સમયની વ્યવસ્થાઓ યાદ અપાવી

PM Modi : વૈશ્વિક અનિશ્ચિતતાઓ (Global Uncertainty) અને પશ્ચિમ એશિયામાં (Global Crisis) કટોકટી ભારતને અસર કરી રહી છે. આ અંગે, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendrabhai Modi) દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ બચાવવા અને ખૂબ જ જરૂરી ન હોય (Save Petrol - Deiseal), ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, કોવિડના સમયમાં આપણે ઘણી વ્યવસ્થાઓ કરી હતી, અને હવે સમયની માંગી છે કે, આપણે તે વ્યવસ્થાઓ ફરીથી શરૂ કરીએ.

PM Modi, મેટ્રોમાં મુસાફરી કરો

પશ્ચિમ એશિયાઈ સંઘર્ષની અસર અંગે, વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું (PM Narendrabhai Modi) કહેવું છે, "વૈશ્વિક કટોકટીના આ સમયમાં, આપણે આપણી ફરજને પ્રથમ રાખવાનો અને તેને સંપૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. એક મહત્વપૂર્ણ સંકલ્પ એ છે કે, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો. આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવો જોઈએ. મેટ્રો લાઇનવાળા શહેરોમાં, આપણે ફક્ત મેટ્રો દ્વારા મુસાફરી કરવાનું નક્કી કરવું જોઈએ."

Advertisement

Advertisement

આ પણ વાંચો - મધ્યપ્રદેશના ઔદ્યોગિક ઉત્થાનનો નવો અધ્યાય, અદાણી સિમેન્ટના રૂ. 1,060 કરોડના પ્લાન્ટનો શિલાન્યાસ

PM Modi, રાષ્ટ્રીય હિતમાં પગલું ભરો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું, "જો આપણે કારનો ઉપયોગ કરવો જ પડે, તો આપણે કારપૂલિંગનો પ્રયાસ કરવો જોઈએ. જેમની પાસે ઇલેક્ટ્રિક વાહનો છે, તેમણે શક્ય તેટલો વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોવિડ-19 મહામારી દરમિયાન, આપણે ઘરેથી કામ કરવા, ઓનલાઈન મીટિંગ્સ અને વિડીયો કોન્ફરન્સિંગ માટે ઘણી સિસ્ટમો વિકસાવી અને તેનાથી ટેવાઇ ગયા હતા. સમયની માંગ એવી છે કે, આ સિસ્ટમોને પુનર્જીવિત કરવી રાષ્ટ્રીય હિતમાં રહેશે."

વિદેશી હૂંડિયામણ બચાવવા પર ભાર મુકો

પીએમ મોદીએ કહ્યું, "આપણે ઘરેથી કામ કરવા, ઓનલાઈન કોન્ફરન્સિંગ અને વર્ચ્યુઅલ મીટિંગ્સને ફરીથી પ્રાથમિકતા આપવી જોઈએ. આપણે વિદેશી હૂંડિયામણ બચાવવા પર પણ ખાસ ભાર મૂકવો જોઈએ, કારણ કે વૈશ્વિક સ્તરે પેટ્રોલ અને ડીઝલ ખૂબ મોંઘા થઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલ ખરીદવામાં ખર્ચાતા વિદેશી હૂંડિયામણને બચાવવાની જવાબદારી આપણી છે."

એક વર્ષ માટે વિદેશી યાત્રા મુલતવી રાખો

પીએમ મોદીએ કહ્યું કે, મધ્યમ વર્ગમાં વિદેશી લગ્નો, વિદેશ યાત્રાઓ અને વિદેશ રજાઓની સંસ્કૃતિ ઝડપથી વધી રહી છે. અમે નિર્ણય લીધો છે કે, આ કટોકટીના સમયમાં આપણે ઓછામાં ઓછા એક વર્ષ માટે વિદેશ યાત્રા મુલતવી રાખવી જોઈએ.

હું તમને આપવા તૈયાર છું

હૈદરાબાદમાં એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી વિશે હળવી પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરીને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેલંગાણામાં નવી રાજકીય ચર્ચા જગાવી છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, હવે આપણા રેવંતજીએ કહ્યું હતું કે, આપણે અહીં રાજકારણની વાત નહીં કરીએ. તો, હું રાજકારણની ચર્ચા નહીં કરું. તેથી, હું રેવંતજીને બિન-રાજકીય રીતે કહીશ કે, ભારત સરકારે તેના દસ વર્ષના શાસન દરમિયાન ગુજરાતને જે કંઈ આપ્યું છે તે હું તમને આપવા તૈયાર છું.

આ પણ વાંચો - મધ્યપ્રદેશના ઔદ્યોગિક ઉત્થાનનો નવો અધ્યાય, અદાણી સિમેન્ટના રૂ. 1,060 કરોડના પ્લાન્ટનો શિલાન્યાસ

Tags :
Advertisement

.

×