PM Modi નું આજે રાત્રે રાષ્ટ્રને સંબોધન, મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની શક્યતા
- PM Modi : આજે રાત્રે 8:30 વાગ્યે પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન; મહિલા અનામત બિલ અંગે કરશે રજૂઆત.
- લોકસભામાં બિલ પસાર ન થવા બદલ વિપક્ષના 'મહિલા વિરોધી' વલણ પર કરી શકે છે આકરા પ્રહાર.
- સાંસદોને અંતરાત્માનો અવાજ સાંભળવા પીએમની અપીલ છતાં, બિલ બહુમતીના અભાવે અટક્યું.
- કોંગ્રેસ અને સપા પર ભાજપના પ્રહાર; મહિલાઓના અધિકારો રોકવાનો લગાવ્યો ગંભીર આરોપ.
- મહિલા સશક્તિકરણ અને લોકશાહીની મજબૂતી માટે પીએમ મોદી જનતા સમક્ષ રાખશે પોતાનો પક્ષ.
PM Modi : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે રાત્રે, શનિવારે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરશે. તેમનું સંબોધન રાત્રે 8:30 વાગ્યે થશે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી મહિલા અનામત બિલ પર બોલશે અને વિપક્ષને તેના સહયોગના અભાવ માટે નિશાન બનાવી શકે છે.
લોકસભામાં (Lok Sabha) મહિલા અનામત સુધારા બિલ (Women's Reservation Amendment Bill) પસાર ન થઈ શક્યાના બે દિવસ બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી પ્રબળ શક્યતા છે કે પીએમ મોદી આ બિલની અનિવાર્યતા સમજાવવાની સાથે વિપક્ષના વલણ અંગે પણ ખુલાસો કરશે.
PM Modi : દેશમાં રાજકારણ ગરમાયું !
બિલ નિષ્ફળ ગયા બાદ ભાજપ (BJP) અને એનડીએ (NDA) ના ઘટક પક્ષો આક્રમક મૂડમાં છે. શાસક પક્ષ દ્વારા કોંગ્રેસ (Congress), સમાજવાદી પાર્ટી (SP) અને ડીએમકે (DMK) જેવા પક્ષોને 'મહિલા વિરોધી' ગણાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદી આજે રાત્રિના સંબોધનમાં વિપક્ષના આરોપોનો ધારદાર જવાબ આપે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં મતદાન દરમિયાન આ બિલ બે-તૃતીયાંશ બહુમતી (Two-thirds Majority) મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું.
PM Modi Address Nation
આજે રાત્રે 8:30 વાગ્યે PM Modi નો દેશજોગ સંદેશ! શું થશે સૌથી મોટી જાહેરાત?@PMOIndia @narendramodi #PMModi #AddressToNation #WomenEmpowerment #NariShakti #WomenReservationLaw #India #GujaratFirst #BreakingNews #PMModiLive #NationalNews pic.twitter.com/xRhCoIseCo— Gujarat First (@GujaratFirst) April 18, 2026
પીએમ મોદીએ કરી હતી ભાવુક પોસ્ટ
મહિલા અનામત બિલ પર મતદાન પૂર્વે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા તમામ સાંસદોને ભાવુક અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "તમામ સાંસદો પોતાની માતા, બહેન, પુત્રી અને પત્નીને યાદ કરીને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની અડધી વસ્તીને તેમના હક આપવાની આ શ્રેષ્ઠ તક છે અને જો આ બિલ સર્વાનુમતે પસાર થાય તો લોકશાહી (Democracy) વધુ મજબૂત બનશે.
વડાપ્રધાન મોદી સાંજે 8.30 કલાકે દેશને સંબોધિત કરશે
આજે દેશને સંબોધિત કરશે વડાપ્રધાન મોદી@PMOIndia @narendramodi #PMModi #AddressToNation #WomenEmpowerment #NariShakti #WomenReservationLaw #India #GujaratFirst #BreakingNews #PMModiLive #NationalNews pic.twitter.com/s9PDgQfbHi— Gujarat First (@GujaratFirst) April 18, 2026
મહિલા સશક્તિકરણનો મુદ્દો
પીએમ મોદીએ અગાઉ પણ કહ્યું હતું કે મહિલાઓને નવી તકોથી વંચિત રાખવી એ દેશના વિકાસમાં અવરોધ સમાન છે. આ બિલનો મુખ્ય હેતુ મહિલાઓને રાજકીય રીતે વધુ સશક્ત (Women Empowerment) બનાવવાનો હતો. આજે રાત્રે થનારું સંબોધન દેશની મહિલાઓને ફરી એકવાર આશ્વાસન આપવા અને વિપક્ષના વલણને જનતા સમક્ષ ખુલ્લું પાડવા માટે મહત્વનું માનવામાં આવે છે.
આ પણ વાંચો---- TCS Nasik Controversy: Axix Bank માં પણ બની હતી આવી ઘટના, અમૃતા ફડણવીસનો મોટો ધડાકો


