ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patna : ગાંધી મેદાનમાં ભૂખ હડતાળ પર બેઠેલા પ્રશાંત કિશોરની ધરપકડ બાદ જામીન

પ્રશાંત કિશોરની ભૂખ હડતાળ વચ્ચે Patna પોલીસની કાર્યવાહી ગાંધી મેદાનમાં વિરોધ પ્રદર્શન સમયે પ્રશાંત કિશોરની ધરપકડ પ્રશાંત કિશોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, કોર્ટે જામીન આપ્યા પ્રશાંત કિશોરને પટના (Patna) સિવિલ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નોંધનીય છે કે, પટના...
01:56 PM Jan 06, 2025 IST | Dhruv Parmar
પ્રશાંત કિશોરની ભૂખ હડતાળ વચ્ચે Patna પોલીસની કાર્યવાહી ગાંધી મેદાનમાં વિરોધ પ્રદર્શન સમયે પ્રશાંત કિશોરની ધરપકડ પ્રશાંત કિશોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, કોર્ટે જામીન આપ્યા પ્રશાંત કિશોરને પટના (Patna) સિવિલ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નોંધનીય છે કે, પટના...

પ્રશાંત કિશોરને પટના (Patna) સિવિલ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નોંધનીય છે કે, પટના (Patna)ના ગાંધી મેદાનમાં અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠેલા જન સૂરજના પ્રમુખ પ્રશાંત કિશોરની પટના (Patna) પોલીસે ધરપકડ કરી હતી અને ગાંધી મેદાનમાં જ્યાં જન સૂરજના પ્રમુખ પ્રશાંત કિશોર અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા હતા તે જગ્યા ખાલી કરી દેવામાં આવી હતી. પ્રશાંત કિશોરની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

જન સૂરજ પાર્ટીએ એક અખબાર યાદીમાં જણાવ્યું હતું કે પોલીસે પ્રશાંત કિશોરને બળજબરીથી ઉપાડી લીધો અને હોસ્પિટલ લઈ ગયા. એવો પણ આરોપ છે કે પોલીસે પ્રશાંતને થપ્પડ મારી હતી. એક સમર્થકે દાવો કર્યો હતો કે પ્રશાંત કિશોરના ચશ્મા પણ ફેંકી દેવામાં આવ્યા હતા. આ સાથે જોડાયેલા વીડિયો પણ સામે આવ્યા છે.

આ નિવેદન જિલ્લા વહીવટીતંત્ર તરફથી આવ્યું...

જિલ્લા પ્રશાસને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, જન સૂરજ પાર્ટીના પ્રશાંત કિશોર અને કેટલાક અન્ય લોકો તેમની પાંચ મુદ્દાની માંગણીઓ માટે પ્રતિબંધિત વિસ્તારમાં ગાંધી મેદાનની ગાંધી પ્રતિમાની સામે ગેરકાયદેસર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રશાસન દ્વારા ત્યાંથી હટીને વિરોધ માટે નિર્ધારિત સ્થળ ગર્દાનીબાગ જવાની નોટિસ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Patna માંથી સેંકડો વર્ષ જૂનુ શિવ મંદિર મળ્યું, મઠ લક્ષ્મણપુરમાં લોકોની ભીડ ઉમટી

FIR દાખલ કરવામાં આવી હતી...

પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર વિરોધને કારણે ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. વારંવાર વિનંતીઓ અને પૂરતો સમય હોવા છતાં, સાઇટ ખાલી કરવામાં આવી ન હતી. તેથી આજે સવારે કેટલાક સમર્થકો સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. પ્રક્રિયાના ભાગરૂપે તેમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પત્રકાર Mukesh Chandrakar હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય આરોપીની ધરપકડ

પોલીસે નિર્દયતાથી લાઠી ચાર્જ કર્યો...

ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પોલીસ પ્રશાસને પ્રશાંત કિશોરને ગાંધી મેદાનથી AIIMS લઈ જઈને ઉપવાસ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપવાસ તોડવામાં નિષ્ફળ રહ્યા બાદ પ્રશાસન પ્રશાંત કિશોરને નવી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રશાંત કિશોરને જોવા માટે એઈમ્સની બહાર એકઠા થયેલા ટોળા પર પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો.

આ પણ વાંચો : Jammu Kashmir : એક ભૂલ બની મોતનું કારણ, Srinagar માં એક જ પરિવારના 5 લોકોના મોત

Tags :
Bihar BPSC Aspirants ProtestBPSC Candidate Protestbpsc protestDhruv ParmarGuajrati NewsGUJARAT FIRST NEWSIndiaNationalPrashant Kishore
Next Article