ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Punjab: ચંદીગઢ બોર્ડર અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ, ખેડૂતોને 'નો એન્ટ્રી'નો માન સરકારનો ઓર્ડર

ખેડૂતો આજે ચંદીગઢમાં વિરોધ પંજાબના 37 ખેડૂત સંગઠમાં જોડાયા પોલીસે સાંજે ઘણા ખેડૂતોને કસ્ટડીમાં લીધા Punjab: Punjab ના 37 ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો આજે વિરોધ (Chandigarh Kisan Andolan)કરવા માટે ચંદીગઢ પહોંચવાના હતા. આ ખેડૂતોએ મંગળવારે સાંજે જ પોતાનું...
03:41 PM Mar 05, 2025 IST | Hiren Dave
ખેડૂતો આજે ચંદીગઢમાં વિરોધ પંજાબના 37 ખેડૂત સંગઠમાં જોડાયા પોલીસે સાંજે ઘણા ખેડૂતોને કસ્ટડીમાં લીધા Punjab: Punjab ના 37 ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો આજે વિરોધ (Chandigarh Kisan Andolan)કરવા માટે ચંદીગઢ પહોંચવાના હતા. આ ખેડૂતોએ મંગળવારે સાંજે જ પોતાનું...
Chandigarh Kisan Andolan

Punjab: Punjab ના 37 ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો આજે વિરોધ (Chandigarh Kisan Andolan)કરવા માટે ચંદીગઢ પહોંચવાના હતા. આ ખેડૂતોએ મંગળવારે સાંજે જ પોતાનું ઘર છોડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પંજાબ પ્રશાસનની કડકાઈને કારણે આ લોકો ચંદીગઢ સુધી પહોંચી શક્યા નહોતા. સંગરુરમાં જ પોલીસે સાંજે ઘણા ખેડૂતોને કસ્ટડીમાં લીધા હતા. આ ઉપરાંત હોશિયારપુર, અબોહર, આનંદપુર સાહિબ, અમૃતસર સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરી છે.

કડક પોલીસ બંદોબસ્ત અને બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું

આ ઉપરાંત, ચંદીગઢની સરહદો પર કડક પોલીસ બંદોબસ્ત અને બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ખેડૂતો માટે ચંદીગઢમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની ગયો છે. ખેડૂતોને બોર્ડર પરથી જ પરત કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની રણનીતિ ચંદીગઢમાં એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન કરવાની હતી, પરંતુ તેમના માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે.

આ પણ  વાંચો -UP મોકલી દો, બરાબર ઇલાજ કરી દઇશું...ઔરંગઝેબના ગુણગાન કરનારા પર ભડક્યા CM યોગી

ચંદીગઢ બોર્ડર અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત થઈ

સંયુક્ત કિસાન મોરચા સાથે જોડાયેલા ખેડૂતોને રોકવા માટે તમામ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. ચંદીગઢ બોર્ડર અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત થઈ ગઈ છે. સમરાલા-ચંદીગઢ રોડ પર મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. ઘણા ખેડૂતોને પાછા મોકલી દેવામાં આવ્યા છે. સંગરુર, તરનતારન, અમૃતસર જેવા ઘણા જિલ્લાઓમાં રાજ્ય સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો પણ થયા છે.

આ પણ  વાંચો -ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના! ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબને જોડતો પુલ તૂટ્યો

ભગવંત માન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમના પુતળાનું દહન કર્યું

સુવર્ણ મંદિરની સામે અનેક ખેડૂતોએ સીએમ ભગવંત માન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમના પુતળાનું દહન કર્યું. આ ઉપરાંત, ફતેહગઢ જિલ્લાના સરહિંદ સહિત ઘણા વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આસપાસના જિલ્લાઓમાંથી પણ સંગરુરમાં ફોર્સ મોકલવામાં આવી છે, જે મુખ્યમંત્રીનો ગૃહ જિલ્લો હોવાનું કહેવાય છે.

આ પણ  વાંચો -Rajasthan Sikar Khatu Shyam Mandir પહોંચેલા ભક્તોએ 'પ્રાઇવેટ ગાર્ડ'નો પર્દાફાશ કર્યો જુઓ Video

ફક્ત રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર બેરિકેડિંગ

રોપર અને બાર્નાલા જિલ્લાના હાઇવે પર પોલીસ નજર રાખી રહી છે. વહીવટીતંત્રને સીધો આદેશ છે કે આંદોલનકારી ખેડૂતોને ચંદીગઢ તરફ આગળ વધવા દેવામાં ન આવે. ખેડૂત સંગઠનોની માંગ છે કે જમીન સંપાદન માટે વળતરની રકમ વધારવી જોઈએ. આ ઉપરાંત ભૂમિહીન મજૂરોને પણ જમીન ફાળવવી જોઈએ. ખેડૂતો અને મજૂરોના દેવા માફ કરવાની પણ માંગ છે.જણાવી દઈએ કે, આ પહેલા પણ ખેડૂતો કેન્દ્ર સરકાર સામે આક્રમક રહ્યા છે. ઘણી વખત ખેડૂતોએ દિલ્હી જવાની ધમકી આપી છે, પરંતુ તેમને હરિયાણા અને પંજાબને(Punjab) જોડતી શંભુ અને ટિકરી બોર્ડર પર રોકવામાં આવ્યા હતા. ચંદીગઢ જવાની તૈયારી કરી રહેલા ખેડૂતોને રોકવા માટે હાલમાં પણ આવી જ સ્થિતિ છે.

Tags :
bhagwant-mannchandigarhChandigarh Kisan AndolanFarmer Leaders DetainedFarmers ProtestPunjabPunjab NewsPunjab Police Farmer LeadersPunjab Police NewsSKMUnited Kisan Morchaunjab Police
Next Article