ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કન્ફર્મ ટિકિટ પર કોઈ કેન્સલેશન ચાર્જ નહીં લાગે, IRCTC મુસાફરોને આ રાહત ક્યારે આપશે?

રેલવેએ મુસાફરોને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2026 થી કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કોઈ રદ્દીકરણ શુલ્ક લાગશે નહીં. આ ઓનલાઈન સુવિધા સીટની ઉપલબ્ધતા અને ભાડાના તફાવત પર નિર્ભર રહેશે. આનાથી મુસાફરોને ટિકિટ રદ કરવાની અને ફરીથી બુક કરવાની પરેશાનીમાંથી મુક્તિ મળશે.
03:27 PM Oct 16, 2025 IST | Mihir Solanki
રેલવેએ મુસાફરોને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2026 થી કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કોઈ રદ્દીકરણ શુલ્ક લાગશે નહીં. આ ઓનલાઈન સુવિધા સીટની ઉપલબ્ધતા અને ભાડાના તફાવત પર નિર્ભર રહેશે. આનાથી મુસાફરોને ટિકિટ રદ કરવાની અને ફરીથી બુક કરવાની પરેશાનીમાંથી મુક્તિ મળશે.
IRCTC Ticket Date Change

IRCTC Ticket Date Change  : રેલવે (Railway) હવે મુસાફરોની (Passengers) મુશ્કેલીઓ ઘટાડવા માટે એક મહત્ત્ર્ણ અને નવી સુવિધા (New Facility) લઈને આવી રહ્યું છે. ટ્રેન મુસાફરી (Train Journey) દરમિયાન અચાનક પ્લાન બદલવો પડે ત્યારે ટિકિટ રદ કરવી અને નવી ટિકિટ બુક કરાવવી પડે છે, જેના કારણે વધારાનો ખર્ચ અને પરેશાની થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી 2026 થી, મુસાફરો પોતાની કન્ફર્મ ટિકિટ (Confirmed Ticket) ની મુસાફરીની તારીખ બદલી (Date Change) શકશે અને તેના માટે કોઈ પણ પ્રકારનો રદ્દીકરણ શુલ્ક (Cancellation Fee) ચૂકવવો પડશે નહીં.

Confirmed Ticket Flexibility

નવી સુવિધાની મુખ્ય જોગવાઈઓ (IRCTC Ticket Date Change )

આ નવી સિસ્ટમ રેલવેની ડિજિટલ સેવાઓ (Digital Services) ને વધુ લવચીક (Flexible) બનાવશે અને મુસાફરો માટે અનુકૂળ રહેશે.

ઑનલાઇન સુવિધા: આ સુવિધા ઑનલાઇન (Online) ઉપલબ્ધ થશે.

સીટની ઉપલબ્ધતા: આ નિયમ માત્ર ત્યારે જ લાગુ થશે જ્યારે તમે જે નવી તારીખ માટે ટિકિટ બદલવા માંગો છો, તેના પર સીટ ઉપલબ્ધ (Seat Availability) હશે. જો સીટ ખાલી નહીં હોય, તો તારીખ બદલવી શક્ય બનશે નહીં.

ભાડામાં તફાવત (Fare Difference):

જો નવી તારીખનું ભાડું વધારે (Higher Fare) હશે, તો મુસાફરે માત્ર વધારાનું ભાડું ચૂકવવું પડશે.

જો નવું ભાડું જૂના ભાડા જેટલું અથવા ઓછું હશે, તો કોઈ વધારાનો શુલ્ક લાગશે નહીં.

આનાથી મુસાફરોને હવે ટિકિટ રદ કરવાની અને પછી ફરીથી બુક કરાવવાની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.

Railway Cancellation Charges

વર્તમાન નિયમો અને ફાયદો (Current Rules and Benefits)

હાલમાં, જો કોઈ મુસાફર મુસાફરીના 48 કલાકથી 12 કલાક પહેલાં ટિકિટ રદ કરે છે, તો કુલ ભાડાના 25% જેટલી રકમ કાપવામાં આવે છે. મુસાફરીના સમયની નજીક ટિકિટ રદ કરવા પર આ કપાત 50% સુધી વધી જાય છે.

નવી સુવિધા શરૂ થવાથી, આ તમામ વધારાના શુલ્ક (Additional Charges) માંથી મુસાફરોને રાહત મળશે અને તેમનો મુસાફરીનો અનુભવ વધુ આરામદાયક બનશે. આ પગલું વારંવાર મુસાફરી કરનારા મુસાફરોને સૌથી વધુ લાભદાયી સાબિત થશે.

રેલ બોર્ડે (Rail Board) જણાવ્યું છે કે જેમ જેમ લાગુ થવાની તારીખ નજીક આવશે તેમ તેમ આ સેવાની પાત્રતા અને વિસ્તાર વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : ભારતનું 99% સોનું ક્યાંથી આવે છે? જાણો KGF સહિત દેશની મુખ્ય સોનાની ખાણો વિશે

Tags :
Confirmed Ticket FlexibilityIndian Railways New RulesIRCTC Ticket Date ChangeRailway Cancellation ChargesTrain Ticket Date Modification
Next Article