Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

મેયર પદના સસ્પેન્સ વચ્ચે રાજ ઠાકરેનો ઉદ્ધવને ઝટકો, KDMCમાં શિંદે જૂથને આપ્યું સમર્થન

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર 'ચોકાવનારો' વળાંક આવ્યો છે, જ્યાં બે કટ્ટર હરીફ પક્ષોએ હાથ મિલાવ્યા છે. કલ્યાણ-ડોંભિવલીની સત્તાની ચાવી કોની પાસે રહેશે તે અંગે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મનસેએ લીધેલા એક અણધાર્યા નિર્ણયે ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે.
મેયર પદના સસ્પેન્સ વચ્ચે રાજ ઠાકરેનો ઉદ્ધવને ઝટકો  kdmcમાં શિંદે જૂથને આપ્યું સમર્થન
Advertisement
  • KDMC માં સત્તાના સમીકરણો બદલાયા ( Raj Thackeray KDMC )
  • મનસેએ એકનાથ શિંદેની શિવસેનાને આપ્યો ટેકો
  • શિવસેનાનું સંખ્યાબળ 53 થી વધીને 58 પર પહોંચ્યું

કલ્યાણ-ડોંભિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) ની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. વર્ષો સુધી એકબીજાના કટ્ટર હરીફ ગણાતા પક્ષો હવે એક મંચ પર જોવા મળી રહ્યા છે. શહેરના વિકાસ અને સત્તાના સમીકરણોને બેસાડવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ શિવસેનાને ટેકો જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.

Raj Thackeray KDMC : મનસેના 5 કોર્પોરેટરોનું શિવસેનાને સમર્થન

રાજકીય ગરમાવા વચ્ચે મનસેના પૂર્વ ધારાસભ્ય પ્રમોદ રાજુ પાટીલે પક્ષના પાંચ કોર્પોરેટરોનો ટેકો શિવસેનાને આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. પાટીલના જણાવ્યા અનુસાર, આ નિર્ણય કોઈ રાજકીય લાલચમાં નહીં પરંતુ કલ્યાણ-ડોંભિવલી શહેરના અટકેલા વિકાસ કાર્યોને ગતિ આપવા માટે લેવામાં આવ્યો છે. આ પાંચેય કોર્પોરેટરોએ નવી મુંબઈ સ્થિત કોંકણ વિભાગીય કમિશનરની કચેરીએ જઈને શિવસેના જૂથ સાથે પોતાની નોંધણી કરાવી દીધી છે.

Advertisement

KDMC માં પક્ષોનું નવું ગણિત

122 બેઠકો ધરાવતી KDMC માં શિવસેના 53 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. હવે મનસેના 5 સભ્યો ભળતા શિવસેનાનું સંખ્યાબળ વધીને 58 થયું છે. બીજી તરફ, ઉદ્ધવ જૂથના કેટલાક કોર્પોરેટરો પણ શિંદે જૂથના સંપર્કમાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જે આગામી સમયમાં શિવસેનાને વધુ મજબૂત બનાવી શકે છે. સાંસદ શ્રીકાંત શિંદેએ આ ગઠબંધનને આવકારતા જણાવ્યું કે, મહાયુતિના શાસન હેઠળ શહેરનો સર્વાંગી વિકાસ થશે.

Advertisement

મેયર પદ માટે ભાજપની 'અઢી વર્ષ'ની ફોર્મ્યુલા

જોકે, સત્તાના આ ખેલમાં હજુ પણ મેયર પદને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ દ્વારા અઢી-અઢી વર્ષ માટે મેયર પદની વહેંચણીની માંગ કરવામાં આવી છે. આ અંગેનો આખરી નિર્ણય મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપના પ્રદેશ નેતા રવિન્દ્ર ચવ્હાણ વચ્ચેની બેઠક બાદ લેવામાં આવશે. હાલમાં શિવસેના મનસેના ટેકાથી પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે, જેથી ગઠબંધનમાં તેની સોદાબાજી કરવાની શક્તિ વધી શકે.

આ પણ વાંચો : Mahant Nritya Gopal Das health : રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી

Tags :
Advertisement

.

×