Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ramnavami: રામ નવમી પર રામ લલ્લાને 'સૂર્ય તિલક', PM મોદીએ ડિજીટલ માધ્યમથી કર્યા દર્શન

Ramnavami: રામ નવમીના પવિત્ર પર્વ પર આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં એક ઐતિહાસિક અને વિજ્ઞાન તેમજ આધ્યાત્મનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણો દ્વારા 'સૂર્ય તિલક' (Surya Tilak) કરવામાં આવ્યું હતું.
ramnavami  રામ નવમી પર રામ લલ્લાને  સૂર્ય તિલક   pm મોદીએ ડિજીટલ માધ્યમથી કર્યા દર્શન
Advertisement
  • Ramnavamiએ અયોધ્યામાં ઈતિહાસ રચાયો
  • 4 મિનિટ સુધી પ્રભુના ભાલ પર રહ્યો સૂર્ય પ્રકાશ
  • PM મોદીએ ડિજિટલ માધ્યમથી કર્યા દિવ્ય દર્શન
  • સ્પેશિયલ લેન્સ અને મિરરથી સૂર્યકિરણો ગર્ભગૃહમાં પહોંચ્યા.
  • આગામી 20 વર્ષ સુધી દર રામ નવમીએ સૂર્યદેવ પોતે કરશે પ્રભુનો રાજતિલક.

Ramnavami: રામ નવમીના પવિત્ર પર્વ પર આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં એક ઐતિહાસિક અને વિજ્ઞાન તેમજ આધ્યાત્મનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણો દ્વારા 'સૂર્ય તિલક' (Surya Tilak) કરવામાં આવ્યું હતું. આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) પણ ડિજિટલ માધ્યમથી આ દિવ્ય દર્શન કર્યા હતા.

Ramnavami: રામલલ્લાના ભાલ પર સૂર્ય કિરણોનો અભિષેક

ભગવાન રામ સૂર્યવંશી (Suryavanshi) હોવાથી તેમના કુળદેવતા સૂર્યનારાયણ પોતે તેમના જન્મોત્સવ પર અભિષેક કરવા આવ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહ (Sanctum Sanctorum) માં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર પડ્યા હતા અને સતત 4 મિનિટ સુધી આ દિવ્ય પ્રકાશ ફેલાયેલો રહ્યો હતો. આ પ્રક્રિયા માટે હાઈ-ટેક મિરર અને લેન્સ સિસ્ટમ (Mirror and Lens System) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

PM મોદીએ ડિજીટલ માધ્યમથી કર્યા દર્શન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ આ ઐતિહાસિક ક્ષણ માણવાનું ચૂક્યા નહોતા. તેમણે ટેલિવિઝન અને ટેબ્લેટના માધ્યમથી 'સૂર્ય તિલક' ના જીવંત પ્રસારણ (Live Streaming) ને નિહાળ્યું હતું. આ દ્રશ્ય જોઈને પીએમ મોદી ભાવવિભોર થઈ ગયા હતા અને હાથ જોડીને ભગવાન રામને પ્રણામ કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, "ભગવાન રામના આદર્શો સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ રહેશે."

આગામી 20 વર્ષ સુધી જોવા મળશે આ નજારો

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Mandir Trust) ના જણાવ્યા અનુસાર, આ 'સૂર્ય તિલક' ની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે આગામી 20 વર્ષ સુધી દર વર્ષે રામ નવમીના દિવસે ભગવાનનો આ રીતે સૂર્ય અભિષેક થશે. આ સફળતા માટે વૈજ્ઞાનિકોએ અગાઉ અનેક પરીક્ષણો (Trial Runs) કર્યા હતા જેથી કિરણો ચોકસાઈપૂર્વક ભગવાનના ભાલ પર જ પડે.

આ પણ વાંચો :  Iran-Israel-US War : ટ્રમ્પની ડબલ ગેમ.... ઈરાન સાથે વાટાઘાટા વચ્ચે 10 હજાર સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાની તૈયારી !

Tags :
Advertisement

.

×