Ram Mandir Donation: રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટ એલર્ટ, CM યોગી પાસે SIT તપાસની માંગ
અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની કથિત ચોરી મામલે વિવાદ વકરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સક્રિય બન્યું છે. ભક્તોની આસ્થા અને અફવાઓના વાતાવરણ વચ્ચે સત્યને બહાર લાવવા ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને SIT તપાસ માટે વિનંતી કરી છે.
Advertisement
Ram Mandir Donation: અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા દાનમાં કથિત ચોરીના મામલાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. આ મામલે ફેલાતી અફવાઓ અને ગેરમાર્ગે દોરતી માહિતીને ડામવા માટે હવે મંદિરના વહીવટીતંત્ર એટલે કે 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' એ સીધો મોરચો સંભાળી લીધો છે. ટ્રસ્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને સઘન તપાસ માટે એક 'સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ' (SIT) ની રચના કરવાની તાતી માંગ કરી છે.

