Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran India Relations PM Modi: ઇરાને Ceasefire બાદ ભારતને લઇને કહી આ મોટી વાત, PM મોદીના કર્યા ભરપુર વખાણ

અમેરિકા અને ઈઝરાયલ સામેના ભીષણ જંગ બાદ ઈરાને ભારત સામે જે રીતે દિલ ખોલ્યું છે તે જોઈને આખી દુનિયા સ્તબ્ધ છે. પીએમ મોદીની ત્રણ ટેલિફોનિક મધ્યસ્થી અને ભારતીય નાગરિકો માટે ઈરાની નેતાના આંખમાં આવેલા આંસુ પાછળ એક મોટું રાજકીય રહસ્ય છુપાયેલું છે. શું ભારતની આ 'સોફ્ટ પાવર' ડિપ્લોમસીએ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવામાં કોઈ મોટું કામ કર્યું છે અને ઈરાને ભારતને કેમ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી? તે જાણવું ખરેખર રસપ્રદ છે.
iran india relations pm modi  ઇરાને ceasefire બાદ ભારતને લઇને કહી આ મોટી વાત  pm મોદીના કર્યા ભરપુર વખાણ
Advertisement
  • પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે 3 થી વધુ વખત કરી વાતચીત (Iran India Relations PM Modi)
  • ભારતીયોના વખાણ કરતા ઈરાની સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિના આંખમાં આંસુ આવ્યા
  • ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને ઈરાને ગણાવી પોતાની પ્રાથમિકતા
  • યુદ્ધવિરામ માટે પીએમ મોદી અને વિદેશ મંત્રીની મુત્સદ્દીગીરીને ઈરાને બિરદાવી

અમેરિકા (USA) અને ઈઝરાયલ (Israel) સાથેના 40 દિવસના યુદ્વ  બાદ ઈરાને (Iran) ભારત પ્રત્યે અનોખો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ (Dr. Abdul Majid Hakim Elahi) પીએમ મોદી (PM Modi) અને ભારતીય નાગરિકોની ભૂમિકાને બિરદાવતા અત્યંત ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભરપુર વખાણ કર્યા હતા, ભારતે  મુશકેલ સમયમાં ઇરાનનો સાથ આપ્યો,જેના લીધે ઇરાન ભારતનો ખાસ આભાર માને છે.

Iran India Relations PM Modi: : પીએમ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચે સતત સંપર્ક

ડૉ. હકીમ ઈલાહીએ ખુલાસો કર્યો કે યુદ્ધના મુશ્કેલ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન (Masoud Pezeshkian) સાથે ઓછામાં ઓછી ત્રણ વખત ફોન પર વાત કરી હતી. એટલું જ નહીં, ભારતના વિદેશ મંત્રીએ (Foreign Minister) પણ ઈરાની સમકક્ષ સાથે સતત સંપર્ક જાળવી રાખીને મુત્સદ્દીગીરીની નવી મિશાલ રજૂ કરી હતી.

Advertisement

Advertisement

ભારતીયો અદ્ભુત છે

ભારતીયો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ડૉ. ઈલાહી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, "હું ભારતીય ભાઈ-બહેનોના સ્નેહનું વર્ણન શબ્દોમાં કરી શકતો નથી. જ્યારે પણ મને તેમનો સાથ યાદ આવે છે, ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. તેઓ ખરેખર અસાધારણ અને અદ્ભુત લોકો છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાનમાં રહેતા ભારતીયોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા [Top Priority] છે.

ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને ચીન-પાકિસ્તાનનો રોલ

યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેહરાન (Tehran) સ્થિત ભારતીય દૂતાવાસ અને ઈરાની તંત્રએ સાથે મળીને ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. બીજી તરફ, યુદ્ધવિરામ [Ceasefire] લાવવામાં ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) ની ભૂમિકા અંગે પૂછવામાં આવતા તેમણે માત્ર એટલું જ કહ્યું કે કેટલાક દેશોએ સાથે મળીને શાંતિ સ્થાપવા રચનાત્મક ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો:  Iran US Ceasefire: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ટ્રમ્પના આભાર બાદ ચીને આપ્યો આ ખાસ જવાબ!

Tags :
Advertisement

.

×