ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RCP સિંહની પાર્ટી પ્રશાંત કિશોરની પાર્ટી 'જન સૂરજ'માં ભળી ગઈ, કરી દીધી મોટી જાહેરાત

RCP સિંહની પાર્ટી આપ સબકી આવાઝ (આસા) પાર્ટીનું આજે ઔપચારિક રીતે પ્રશાંત કિશોરની પાર્ટી 'જન સૂરજ'માં વિલીનીકરણ થયું છે.
02:03 PM May 18, 2025 IST | MIHIR PARMAR
RCP સિંહની પાર્ટી આપ સબકી આવાઝ (આસા) પાર્ટીનું આજે ઔપચારિક રીતે પ્રશાંત કિશોરની પાર્ટી 'જન સૂરજ'માં વિલીનીકરણ થયું છે.
RCP Singh's party merges with 'Jan Suraj'

Bihar Politics: બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા, બિહારના CM નીતિશના નજીકના સહયોગી અને જનતા દળ યુનાઇટેડ (JDU) ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે 'આપ સબકી આવાઝ' (આસા) પાર્ટીનું 'જન સૂરજ' સાથે ઔપચારિક રીતે વિલીનીકરણ કર્યું, આ પગલું ત્યાંના રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

તેમણે પ્રશાંત કિશોર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને આ વિલીનીકરણ અંગે માહિતી આપી, આને આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Hyderabad: ચારમિનાર નજીક એક ઇમારતમાં ભીષણ આગ લાગી, 17 લોકોના મોત

બિહાર ચૂંટણી પહેલા રાજકીય તાપમાન વધ્યું

આરસીપી સિંહના આ નિર્ણયથી બિહાર ચૂંટણી પહેલા રાજ્યનું રાજકીય તાપમાન વધી ગયું છે. તમને જણાવી દઈએ કે આરસીપી સિંહ એક સમયે બિહારના CM નીતિશ કુમારના ખૂબ જ નજીકના હતા અને તેઓ માત્ર JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહોતા પરંતુ ભારત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે

નોંધનીય છે કે બિહારમાં આગામી થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ ચૂંટણીમાં ભાજપ-JDUના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન અને RJD-કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે સખત સ્પર્ધા છે, રાજ્યમાં 243 વિધાનસભા બેઠકો છે.

આ પણ વાંચો :  ડેલિગેશનમાં સામેલ થવા પર જયરામ રમેશે શશિ થરૂર સહિતના નેતાઓને આપ્યો સંદેશ, જાણો શું કહ્યું

Tags :
Aap Sabki AwazBihar Elections 2025Bihar Political UpdateBihar politicsElection 2025Gujarat FirstJan SoorajMihir Parmarnitish kumarPolitical MergerPrashant KishorRCP Singh
Next Article