Telangana : 16 દિવસ થયા... હજુ પણ નથી મળી કોઈ સફળતા, સુરંગમાંથી મળ્યો એક વ્યક્તિનો મૃતદેહ
- SLBC સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ
- બચાવ ટીમને ટનલની અંદરથી એક મૃતદેહ મળી આવ્યો
- બચાવ કામગીરીમાં રોબોટ્સ તૈનાત કરવામાં આવશે
Telangana Tunnel Accident: તેલંગાણાના નાગરકુર્નૂલમાં SLBC સુરંગમાં ફસાયેલા આઠ લોકોને બચાવવાના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે. 16 દિવસ પછી પણ કોઈ સફળતા મળી નથી. આજે એટલે કે રવિવારે, બચાવ ટીમને ટનલની અંદરથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતહેહ મશીનમાં ફસાઈ ગયો છે. મૃતદેહને બહાર કાઢવા માટે મશીન કાપવામાં આવી રહ્યું છે. સ્નિફર ડોગ્સ પછી, હવે આ બચાવ કામગીરીમાં રોબોટ્સ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેડેવર ડોગ્સને બચાવ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા
સરકારે તે કામદારો (મૃત કે જીવિત)ને બહાર કાઢવા માટે રોબોટની મદદ લેવાનું નક્કી કર્યું છે. 22 ફેબ્રુઆરીએ ટનલનો એક ભાગ ધરાશાયી થતાં આ આઠ લોકો અંદર ફસાયેલા છે. કેરળ પોલીસના ખાસ તાલીમ પામેલા શબ-સુંઘનારા કૂતરાઓને પણ બચાવ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ કેડેવર ડોગ્સને ગુમ થયેલા લોકો અને મૃતદેહો શોધવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.
22 ફેબ્રુઆરીથી બચાવ કામગીરી ચાલુ
બીજી તરફ NDRF, આર્મી અને અન્ય એજન્સીઓ યુદ્ધના ધોરણે બચાવ કાર્યમાં લાગેલી છે. TBM વડે રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. 22 ફેબ્રુઆરીએ છત ધરાશાયી થયા બાદ ટનલની અંદર ફસાયેલા આઠ કામદારો માટે બચાવ કામગીરી ચાલી રહી છે. આ લોકોને બહાર કાઢવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો અસફળ સાબિત થયા છે. હવે જોવાનું એ રહે છે કે રોબોટ શું મદદ કરી શકે છે.
આ પણ વાંચો : UP કેબિનેટ વિસ્તરણ... PM મોદી અને CM યોગી મળ્યા,એક કલાક ચાલ્યું મંથન
ટનલમાં રોબોટ તૈનાત કરવામાં આવશે
તેલંગાણાના સિંચાઈ મંત્રી એન ઉત્તમ કુમાર રેડ્ડીએ ગઈકાલે ટનલ સાઇટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિવિધ સંસ્થાઓના અધિકારીઓ સાથે ચાલી રહેલા બચાવ કાર્યની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને બચાવ કામગીરી માટે ટનલમાં રોબોટ્સ તૈનાત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો. મંત્રીએ કહ્યું કે સરકાર રોબોટ નિષ્ણાતોની સેવાઓનો ઉપયોગ કરશે. આ માટે સરકાર લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
CM રેડ્ડી 11 માર્ચે મુલાકાત લઈ શકે છે
મળતી માહિતી મુજબ, તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડી 11 માર્ચે ફરીથી ટનલ સાઇટની મુલાકાત લેશે અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. આ પહેલા સીએમ રેડ્ડીએ 2 માર્ચે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : Raghuraj Pratap Singh ઉર્ફે રાજા ભૈયા વિરુદ્ધ પત્નીની ફરિયાદ પર દિલ્હીમાં FIR દાખલ, જાણો સમગ્ર મામલો