Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પનામાથી શશી થરૂરની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું - ગાંધીજીની ભૂમિ હવે બીજો ગાલ નહીં ધરે

ભારતનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે વિદેશ પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે, 29 મે 2025ના રોજ પનામા પહોંચેલા પ્રતિનિધિમંડળના વડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પાકિસ્તાન પર તીખા પ્રહારો કર્યા.
પનામાથી શશી થરૂરની પાકિસ્તાનને ચેતવણી  કહ્યું   ગાંધીજીની ભૂમિ હવે બીજો ગાલ નહીં ધરે
Advertisement
  • પનામાથી પાકિસ્તાનને શશી થરૂરની ચેતવણી
  • હવે બાપૂની ભૂમિ બીજો ગાલ નહીં ધરેઃ શશી થરૂર
  • ગાંધીજીએ ડર વગર જીવવાનો સંદેશ આપ્યોઃ થરૂર
  • શશી થરૂરે કહ્યું નાપાક આતંકીઓ સામે લડીએ છીએ
  • આતંકીઓના જનાઝામાં પાક. સરકાર હતીઃ થરૂર
  • પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનો સાથે મુલાકાત
  • 'ઓપરેશન સિંદૂર' અંગે ભારતની નીતિને કરી સ્પષ્ટ
  • પનામાના વિદેશમંત્રી સાથે ડેલિગેશને કરી મુલાકાત
  • પીસ પ્લાઝામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ

Shashi Tharoor warns Pakistan : ભારતનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે વિદેશ પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે, 29 મે 2025ના રોજ પનામા પહોંચેલા પ્રતિનિધિમંડળના વડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પાકિસ્તાન પર તીખા પ્રહારો કર્યા. તેમણે પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનો અને વિદેશમંત્રી સાથેની મુલાકાત દરમિયાન ભારતની આતંકવાદ વિરુદ્ધની નીતિ અને ‘ઓપરેશન સિંદૂર’ની જરૂરિયાતને સ્પષ્ટ કરી. થરૂરે પનામા સિટીના પીસ પ્લાઝામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ગાંધીજીના અહિંસા અને ન્યાયના સંદેશને યાદ કર્યો, સાથે જ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી કે ભારત હવે કોઈ હુમલાને સહન નહીં કરે.

ગાંધીજીનો સંદેશ અને ભારતની દૃઢ નીતિ

શશી થરૂરે પનામામાં પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “ગાંધીજીએ આપણને ભયમુક્ત જીવન જીવવાનો અને આપણા અધિકારો માટે લડવાનો સંદેશ આપ્યો છે. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં બહાદુરીથી નેતૃત્વ કરીને શીખવ્યું કે આપણે આપણા મૂલ્યો અને ન્યાય માટે હંમેશા ઉભા રહેવું જોઈએ.” થરૂરે ભારપૂર્વક જણાવ્યું કે ભારત આજે આતંકવાદનો સામનો કરવા માટે દૃઢપણે તૈયાર છે. તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો કે તે આતંકવાદીઓને આશ્રય આપે છે, જેઓ નિર્દોષ નાગરિકોની હત્યા કરીને ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરે છે. થરૂરે ચેતવણી આપી, “કોઈપણ સ્વાભિમાની રાષ્ટ્ર આવા હુમલાઓ સહન નથી કરતું. ગાંધીજીની ભૂમિ હવે ચૂપ નહીં રહે, અમે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપીશું.” આ સાથે તેમણે કહ્યું કે, હવે બાપૂની ભૂમિ બીજો ગાલ નહીં ધરે.

Advertisement

Advertisement

‘ઓપરેશન સિંદૂર’ની જરૂરિયાત

થરૂરે ‘ઓપરેશન સિંદૂર’ની પૃષ્ઠભૂમિ સમજાવતાં જણાવ્યું કે, આ ઓપરેશન 22 એપ્રિલ 2025ના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26 નાગરિકોના જીવ ગયા હતા. આ હુમલાએ ભારતની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. થરૂરે કહ્યું, “આ હુમલામાં 26 મહિલાઓએ પોતાના પતિ, પિતા કે પરિવારના સભ્યો ગુમાવ્યા, જેના કારણે તેમના જીવનમાંથી સિંદૂરનો રંગ લૂંટાઈ ગયો. આવા આતંકવાદીઓએ મહિલાઓને રડવા મજબૂર કર્યા, પરંતુ ભારતે નક્કી કર્યું કે આ ખૂનીઓના રક્તનો રંગ સિંદૂર સાથે મેળ ખાશે.” આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કરીને તેમનો નાશ કર્યો હતો.

પાકિસ્તાન પર આતંકવાદને પોષવાનો આરોપ

થરૂરે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો કે, આતંકવાદીઓના જનાઝામાં પાકિસ્તાન સરકારની સીધી સંડોવણી છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને નાણાકીય અને તાલીમી સહાય પૂરી પાડે છે, જેઓ ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. થરૂરે ખાસ કરીને 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો, જ્યાં ભારતે પાકિસ્તાનને પુરાવા આપ્યા હોવા છતાં કોઈ કડક કાર્યવાહી થઈ નથી. તેમણે કહ્યું, “આવા આતંકવાદીઓનો હેતુ નિર્દોષ લોકોની હત્યા કરીને રાજકીય અથવા ધાર્મિક ઉદ્દેશ્યો હાંસલ કરવાનો છે, પરંતુ ભારત આવા ષડયંત્રોને નિષ્ફળ બનાવશે.”

આ પણ વાંચો :  પાકિસ્તાન પર ઓવૈસીનો કટાક્ષ : નકલ માટે પણ અકલ જોઈએ

Tags :
Advertisement

.

×