રાજા રઘુવંશીની માતાનું ચોકાવનારું નિવેદન, કહ્યું - સોનમને મોતની સજા આપો..!
- રાજા રઘુવંશી હત્યા કેસમાં તેની માતાનું નિવેદન
- સોનમે હત્યા કરી હોય તો તેને પણ સજા મળેઃ ઉમા રઘુવંશી
- હનીમૂન માટે સોનમે બુક કરાવી હતી શિલોંગની ટિકિટ
- પરત ફરવાની ટિકિટ ન કરાવી હોવાનો પણ દાવો
Indore Couple case : ઇન્દોરના રાજા રઘુવંશી (Raja Raghuvanshi) ની મેઘાલયમાં હનીમૂન દરમિયાન હત્યા અને તેની પત્ની સોનમની ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ધરપકડ બાદ આ કેસે નવો વળાંક લીધો છે. મેઘાલય પોલીસ (Meghalaya Police) ની પ્રારંભિક તપાસમાં સોનમ આ હત્યામાં સંડોવાયેલી હોવાનું જણાયું છે, અને DGP એ દાવો કર્યો છે કે સોનમે મધ્યપ્રદેશથી ભાડૂતી હત્યારાઓને શિલોંગ લઈ જઈને આ ગુનો આચર્યો હતો. જેના પર હવે રાજાની માતા ઉમા રઘુવંશી (Uma Raghuvanshi) નું પણ મોટું નિવેદન સામે આવ્યું છે.
રાજા રઘુવંશીની માતાએ શું કહ્યું?
રાજા રઘુવંશીની માતાએ આ ઘટનામાં મોટા ષડયંત્રની શંકા વ્યક્ત કરી, અને જણાવ્યું કે સોનમે રાજાને જાણ કર્યા વિના શિલોંગની હનીમૂન ટિકિટ બુક કરાવી હતી, જ્યારે રાજા આ સફર માટે તૈયાર નહોતો. ઉમાએ આગલ કહ્યું કે જો સોનમ દોષી હોય, તો તેને કડક સજા થવી જોઈએ. બીજી તરફ, સોનમના માતા-પિતાએ તેનો બચાવ કર્યો છે. ઉમાએ મીડિયા સાથેની ભાવુક વાતચીતમાં જણાવ્યું, "રાજાએ મને કહ્યું હતું કે સોનમે શિલોંગની ટિકિટ બુક કરાવી છે, અને તેને જવું પડશે. મેં તેને 6-7 દિવસમાં પરત ફરવાનું કહ્યું હતું, પરંતુ મને શંકા નહોતી કે આ ષડયંત્રનો ભાગ છે." તેમણે રાજાના ગળામાં સોનમની સલાહ પર પહેરેલી સોનાની સાંકળ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું, "એરપોર્ટના ફોટામાં રાજાના ગળામાં સાંકળ જોઈને મને ડર લાગ્યો. મેં સોનમની માતાને કહ્યું હતું કે આ ખતરનાક બની શકે છે, પરંતુ સોનમે રાજાને તે પહેરવા દબાણ કર્યું." ઉમાને સોનમની મીઠી વાતો પર શંકા નહોતી, કારણ કે તે લગ્ન પહેલાં 4 દિવસ તેમના ઘરે રહી હતી અને પરિવાર સાથે ખૂબ જ સ્નેહથી વર્તન કરતી હતી.
#WATCH | Indore, Madhya Pradesh: On Sonam Raghuvanshi found near Ghazipur, UP, Raja Raghuvanshi's mother Uma Raghuvanshi says, "Before they got married, we wanted them to spend time together, but Sonam's mother was not open to this... If she has done all this, she will be… pic.twitter.com/5Ji0JykjJu
— ANI (@ANI) June 9, 2025
લગ્નની ઉતાવળ અને ષડયંત્રની શંકા
ઉમાએ રાજા અને સોનમના લગ્ન વિશે પણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજાએ સોનમનો ફોટો બતાવીને તેને પસંદ કરી હતી, કારણ કે બંને માંગલિક હતા અને તેમની કુંડળીઓ મેળ ખાતી હતી. જોકે, પરિવારે લગ્ન માટે 1 વર્ષ રાહ જોવાનું સૂચન કર્યું હતું, પરંતુ સોનમના પિતાએ મુહૂર્તનું બહાનું બનાવીને ઉતાવળ કરી. ઉમાએ કહ્યું, "હવે સમજાયું કે આ ઉતાવળ પાછળ શું કારણ હતું. જો સોનમ અમારી સાથે રહેવા માંગતી ન હતી, તો તેણે આવું ગુનાહિત પગલું ન ભરવું જોઈતું હતું. તેને ફાંસીની સજા થવી જોઈએ." આ નિવેદનોએ કેસમાં નવું રહસ્ય ઉમેર્યું છે, અને પોલીસ હવે સોનમની ભૂમિકા અને ષડયંત્રની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આગળની તપાસ
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ રાજાના પરિવારમાં શોક અને આઘાતનું વાતાવરણ ઊભું કર્યું છે. ઉમાએ CBI તપાસની માંગ કરી છે, જ્યારે સોનમના પરિવારે તેની નિર્દોષતાનો દાવો કર્યો છે. મેઘાલય પોલીસે 3 અન્ય શકમંદોની ધરપકડ કરી છે, અને આ ગુનાના પાછળના હેતુઓ અને સોનમની સંડોવણીની વિગતો શોધવા માટે તપાસ ચાલુ છે.
આ પણ વાંચો : Indore Missing Couple case : ઇન્દોર દંપતીના કેસમાં ચોંકાવનારો વળાંક, સોનમ રઘુવંશીની પોલીસે કરી ધરપકડ