VVIP વિસ્તારમાં યુવક પર ગોળીબાર! તેજસ્વીએ કહ્યું – “સરકાર નિષ્ફળ, લોકો અસુરક્ષિત”
Tejashwi Yadav Statement : બિહારની રાજધાની પટનાના અત્યંત સુરક્ષિત ગણાતા પોલો રોડ વિસ્તારમાં 19 જૂન, 2025ની સવારે બાઇકસવાર બદમાશોએ રાહુલ નામના યુવક પર ગોળીબાર (Firing) કર્યો, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
Advertisement
- VVIP વિસ્તારમાં યુવક પર ગોળીબાર, બિહાર પોલીસ પર સવાલ
- પોલો રોડ પર આતંક, ખુલ્લેઆમ ગોળીબારથી હડકંપ
- પટનાના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ગુનાખોરી
- મંત્રીઓના ઘરની સામે ગોળીબાર
- તેજસ્વીનું નિશાન – “સરકાર નિષ્ફળ, લોકો અસુરક્ષિત”
- સુરક્ષા ઝોન પણ સુરક્ષિત નથી, સામાન્ય લોકોનું શું?
Tejashwi Yadav Statement : બિહારની રાજધાની પટનાના અત્યંત સુરક્ષિત ગણાતા પોલો રોડ વિસ્તારમાં 19 જૂન, 2025ની સવારે બાઇકસવાર બદમાશોએ રાહુલ નામના યુવક પર ગોળીબાર (Firing) કર્યો, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ VVIP વિસ્તારમાં NDA સરકારના મંત્રી અશોક ચૌધરી (Ashok Chaudhary) નું નિવાસસ્થાન આવેલું છે, અને તેની સામે જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) નું ઘર સ્થિત છે. આ ઉપરાંત, આ વિસ્તારમાં મંત્રીઓ, ધારાસભ્યો અને ન્યાયાધીશોના સરકારી નિવાસસ્થાનો પણ છે. આવા ઉચ્ચ સુરક્ષા ઝોનમાં થયેલા ગોળીબારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

