Monsoon પર EL NINO નો ઓછાયો: સ્કાઈમેટે દર્શાવી 2026માં દુકાળ-ઓછા વરસાદની આશંકા
. 2026માં અલ-નીનો (EL NINO) ના વિકસિત થવાની સંભાવના
. મોનસૂનમાં વિલંબ અને ઓછા વરસાદનું જોખમ
. લૂ અને હવામાનની અસ્થિરતા વધવાની આશંકા
. કૃષિ ઉત્પાદન અને ખાદ્ય સુરક્ષા પર અસરની શક્યતા
Skymet on Monsoon: હવામાનનું આકલન કરનારી ખાનગી એજન્સી સ્કાઈમેટએ કહ્યું છે કે જળવાયુના મોટાભાગના મોડલ 2026ના બીજા 6 માસિક સમયગાળામાં અલ નીનોની વાસપીનું પૂર્વાનુમાન દર્શાવે છે. અલ નીનોને કારણે સમુદ્રની સપાટીના પાણીનું તાપમાન અસામાન્યપણે ગરમ થઈ જાય છે. ભારતમાં મોનસૂન વચ્ચે અલ નીનોના મજબૂત થવાની સંભાવના છે અને તે ઉત્તરીય ગોળાર્ધમાં શિયાળા દરમિયાન તેના ઉચ્ચ સ્તરે પહોંચે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Weather News: દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી, જાણો ગુજરાતના વાતાવરણ વિશે
સ્કાઈમેટની નોટ
સ્કાઈમેટના સંસ્થાપક અને અધ્યક્ષ જતિન સિંહે શુક્રવારે જાહેર કરેલી નોટમાં કહ્યુ છે કે આ પ્રકારના વિકાસથી હવમાનની પરિવર્તનશીલતાનો ખતરો વધી જાય છે. આ ખતરો ખાસ કરીને દક્ષિણ એશિયામાં વધી જાય છે. તેનાથી ભારતમાં મોનસૂનનો વરસાદ ઓછો થઈ જાય છે. તેમણે કહ્યુ કે અલ નીનો વર્ષોની પદ્ધતિ બદલીને વૈશ્વિક હવામાનને મહત્વપૂર્ણ રીતે બાધિત કરે છે. તેનાથી જોખવાળા વિસ્તારો જેવા કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતીય ઉપખંડ છે.
જતિનસિંહે કહ્યુ છે કે ટોચના એકમ એપીસીસી ક્લાઈમેટ સેન્ટરે આશંકા વ્યક્ત કરી છે કે દુકાળ લાવનાર અલ નીનો આ વર્ષે જુલાઈની આસપાસ આકાર લે તેવી આશંકા છે. તેનાથી દેશમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચે થનારા વરસાદનું પ્રમાણ પ્રભાવિત થશે.
સ્કાઈમેટનું આકલન
સ્કાઈમેટ મુજબ, અલ નીનો 2014 અને 2018માં ભારતીય મોનસૂનને ખરાબ કરી ચુક્યું છે. આ ક્રમમાં 2014ની સીઝન દુકાળમાં સમાપ્ત થઈ અને 2018માં બેહદ ઓછા અંતરથી બચી ગઈ. અલ નીનો જૂનથી શરૂ થયું અને તે 11 માસ સુધી ચાલુ રહ્યું. તેનાથી ભારતનું મોનસૂન પ્રભાવિત થયું. સ્કાઈમેટ મુજબ, અલ નીનોને કારણે 2024 સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું હતું અને તે એપ્રિલ-2024 સુધી ચાલુ રહ્યું હતું. સ્કાઈમેટ મુજબ, તેના પરિણામે ખાદ્યાન્નના પાક ખાસ કરીને ધાન અને દાળ પ્રભાવિત થયા અને તેના ઉત્પાદનોને અસર પહોંચી. તેનું ઉત્પાદન ઓછું થયું. માટે આ સમયગાળામાં ખાદ્ય સામગ્રીઓની મોંઘવારી વધી હતી.
પૂર્ણ વિકસિત અળ નીનોથી પણ વધારે ચિંતાજનક વાત એ છે કે અલ નીનોનો વિકાસ થઈ રહ્યો છે. તેનાથી સામાન્યથી ઓછા વર્ષો થવાની 60 ટકા આશંકા છે. અલ નીનોના વિકાસથી મોનસૂનના આગમનમાં વિલંબ થઈ શકે છે. મોનસૂનનો વરસાદનું સ્થાનિક અને સામયિક વિતરણ બગડે તેવી શક્યતા છે. આનાથી મોટાભાગે લૂની આવૃત્તિ, તીવ્રતા અને સમયગાળામાં પણ વૃદ્ધિ થાય છે.
આ પણ વાંચો: Ambalal Patel prediction: ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી


