જમ્મુ કાશ્મીરમાં લાગ્યા આતંકવાદીઓના પોસ્ટરો, માહિતી આપનારને મળશે 20 લાખનું ઈનામ
- જમ્મુ કાશ્મીરમાં લાગ્યા આતંકવાદીઓના પોસ્ટરો
- પહેલગામ આતંકી હુમલાના 3 આતંકીના પોસ્ટર લાગ્યા
- આતંકીઓ અંગે માહિતી આપનારાને 20 લાખનું ઈનામ
- માહિતી આપનારાઓની ઓળખ પણ ગુપ્ત રખાશે
- પોસ્ટરમાં 2 પાકિસ્તાની અને 1 સ્થાનિક આતંકીનો ફોટો
Terrorist posters put up in Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા (terrorist attack) ના ગુનેગારો હજુ પણ ફરાર છે. આ હુમલામાં 26 પ્રવાસીઓ (26 tourists) એ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 17 લોકો ઘાયલ (injured) થયા હતા. આ ઘટના બાદ ભારતીય સુરક્ષા દળો (Indian security forces) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આતંકવાદીઓને પકડવા માટે સતત પ્રયાસો ચાલુ છે. ઓપરેશન સિંદૂરના ભાગરૂપે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળને વધુ તેજ કરી દીધી છે. આ હુમલા માટે જવાબદાર 3 આતંકવાદીઓ, જે પાકિસ્તાનના છે, તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. આ ત્રણેયના કોડ નેમ અનુક્રમે મુસા, યુનુસ અને આસિફ હોવાનું એજન્સીઓએ જણાવ્યું છે.
પોસ્ટર્સ અને ઇનામની જાહેરાત
સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઝડપથી પકડવા માટે જાહેર સ્થળોએ તેમના પોસ્ટર્સ લગાવ્યા છે. આ પોસ્ટર્સમાં લોકોને આતંકવાદીઓ વિશે માહિતી આપવા અપીલ કરવામાં આવી છે, જેથી તેમને જલદી ઝડપી શકાય. પોસ્ટર્સ પર માહિતી આપવા માટે બે સંપર્ક નંબર પણ છાપવામાં આવ્યા છે. આ પહેલાં, ગયા મહિને, એજન્સીઓએ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને તેમની ધરપકડ માટે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. હુમલા બાદ સૌપ્રથમ આતંકવાદીઓના સ્કેચ બનાવવામાં આવ્યા હતા, જે બાદ પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા.
જમ્મુ કાશ્મીરમાં લાગ્યા આતંકવાદીઓના પોસ્ટરો
પહલગામ આતંકી હુમલાના 3 આતંકીના પોસ્ટર લાગ્યા
આતંકીઓ અંગે માહિતી આપનારાને 20 લાખનું ઈનામ
માહિતી આપનારાઓની ઓળખ પણ ગુપ્ત રખાશે
પોસ્ટરમાં 2 પાકિસ્તાની અને 1 સ્થાનિક આતંકીનો ફોટો#JammuKashmir #PahalgamTerroristAttack #Pahalgam #terrorist… pic.twitter.com/a0r49Cwhfz— Gujarat First (@GujaratFirst) May 13, 2025
આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા
પહેલગામ હુમલાના 15 દિવસ બાદ, ભારતે 7 મે, 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જે આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું પ્રતીક બન્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર ચોકસાઈપૂર્વકના હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના 10 પરિવારજનો અને 4 સહયોગીઓનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનની જવાબી કાર્યવાહી અને યુદ્ધવિરામ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. પાકિસ્તાને જમ્મુથી ગુજરાત સુધીના સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કર્યા, જેમાં અનેક લોકો ઘાયલ થયા. ભારતે પણ આનો કડક જવાબ આપ્યો અને પાકિસ્તાનના મુખ્ય શહેરો તેમજ એરબેઝ પર ડ્રોન હુમલા કરીને તેમની હવાઈ સંરક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરી દીધી. આ સ્થિતિમાં પાકિસ્તાને અમેરિકાને યુદ્ધવિરામની અપીલ કરી, જે બાદ ભારતે યુદ્ધવિરામ માટે સંમતિ દર્શાવી.
NIAની તપાસ અને આતંકવાદીઓની ઓળખ
પહેલગામ હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી રહી છે. એજન્સીઓએ જણાવ્યું કે, હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના છે અને તેમની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. આ ઉપરાંત, હુમલાના માસ્ટરમાઈન્ડ શેખ સજ્જાદ ગુલ, જે લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે સંકળાયેલો છે, તે રાવલપિંડીમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે. NIAએ ગુલ પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
આ પણ વાંચો : Operation Sindoor : PM મોદીના ભાષણ પર વિશ્વની મીડિયાએ શું લખ્યું?