ભગવાન શિવની સાક્ષીનો અનુભવ કરાવતા ઓમ પર્વત ઉપરથી 'ૐ'ની છબી અચાનક જ થઈ ગાયબ!
ઉત્તરાખંડના ભારત-ચીન બોર્ડર પાસે આવેલો ઓમ પર્વત તેની આકર્ષક અને રમણીય 'ઓમ' છબીના આકારને કારણે ખૂબ પ્રસિદ્ધ છે.પરંતુ આ વર્ષે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ પર્વત પરથી 'ઓમ' અચાનક ગાયબ થઈ ગયો છે....
Advertisement
ઉત્તરાખંડના ભારત-ચીન બોર્ડર પાસે આવેલો ઓમ પર્વત તેની આકર્ષક અને રમણીય 'ઓમ' છબીના આકારને કારણે ખૂબ પ્રસિદ્ધ છે.પરંતુ આ વર્ષે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ પર્વત પરથી 'ઓમ' અચાનક ગાયબ થઈ ગયો છે. લગભગ 19,000 ફૂટની ઊંચાઈ પર આવેલા આ પર્વત પર વર્ષ દરમિયાન બરફના કારણે 'ઓમ' નો આકાર સ્પષ્ટપણે દેખાતો હતો, પરંતુ ઓગસ્ટમાં બરફની પરત અચાનક ગાયબ થઈ જતા હવે 'ૐ ' ની છબી બિલકુલ જ ગાયબ થઈ ગઈ છે અને હવે ફક્ત કાળો પર્વત જ જોવા મળી રહ્યો છે. વર્ષોથી હજારો ભક્તોની ભગવાનની શિવની હાજરીનો પ્રમાણ આપતો આ પર્વત હવે પોતાની ઓળખાણ જ ગુમાવી બેઠો હોય તેવું લાગી રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ

