Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બજેટમાં મિડલ ક્લાસને મળશે ટેક્સમાં મોટી રાહત! PM મોદીના આ ઇશારાની થઇ રહી છે ચર્ચા

Budget Session 2025 : વડાપ્રધાન મોદીએ બજેટ 2025 પહેલા મધ્યમ વર્ગને રાહત આપવાનો સંકેત આપ્યો છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, નાણામંત્રી બજેટમાં આવકવેરા નિયમો અંગે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.
બજેટમાં મિડલ ક્લાસને મળશે ટેક્સમાં મોટી રાહત  pm મોદીના આ ઇશારાની થઇ રહી છે ચર્ચા
Advertisement
  • બજેટ સેશન  પહેલા પીએમ મોદીએ આપ્યા ખુબ જ મોટા સંકેત
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 8મી વખત રજુ કરશે બજેટ
  • મધ્યવર્ગ અને ગરીબ વર્ગને બજેટ પાસેથી અનેક ગણી અપેક્ષાઓ

Budget Session 2025 : વડાપ્રધાન મોદીએ બજેટ 2025 પહેલા મધ્યમ વર્ગને રાહત આપવાનો સંકેત આપ્યો છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, નાણામંત્રી બજેટમાં આવકવેરા નિયમો અંગે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

Budget Session 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે સરકાર ગરીબો અને મધ્યમ વર્ગ માટે મોટી યોજનાની જાહેરાત કરી શકે છે તેવી અપેક્ષા છે.

Advertisement

આ પણ વાંચો : Banaskantha : વિદેશીઓને લોન અપાવવાનું કહી ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

Advertisement

અગાઉ, પીએમ મોદીએ શુક્રવારે (31 જાન્યુઆરી) મહાલક્ષ્મી મંત્રનો પાઠ કર્યો અને કહ્યું કે, તેઓ પ્રાર્થના કરે છે કે દેવી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે. સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. તે 31 જાન્યુઆરી, 2025 થી શરૂ થશે અને 13 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે.

પીએમ મોદીએ શું કહ્યું

નવા સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, "હું સંપત્તિ અને સમૃદ્ધિની દેવી દેવી લક્ષ્મીને નમન કરું છું." તેમણે કહ્યું, "હું પ્રાર્થના કરું છું કે મા લક્ષ્મી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે."

આ પણ વાંચો : India vs England, 4th T20I Pune : પુણેમાં ભારતનો રોમાંચક વિજય, હર્ષિત રાણાનું શાનદાર પ્રદર્શન

આ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર મધ્યમ વર્ગના પોતાના ઘરના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. મોદી સરકારના ત્રીજા પૂર્ણ બજેટના એક દિવસ પહેલા વડાપ્રધાનના નિવેદનને એ સંકેત માનવામાં આવી રહ્યો છે કે બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે કંઈક ફાયદાકારક હશે.

સરકાર ટેક્સ અંગે મોટી જાહેરાત કરી શકે છે

સરકારે સામાન્ય માણસના કરવેરાનો બોજ ઘટાડવા માટે નાણાકીય વર્ષ 2024-25માં નવો આવકવેરા સ્લેબ રજૂ કર્યો હતો. આ પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સરકાર આવકવેરા સ્લેબ અને દરોમાં વધુ સુધારો કરી શકે છે. એવી અપેક્ષા છે કે 30 ટકા ટેક્સ સ્લેબ વર્તમાન 15 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયાથી વધુ કરી શકાય છે. નોંધનીય છે કે નવી આવકવેરા સ્લેબ સિસ્ટમમાં, સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad : જાણીતી શાળાને FRC એ ફટકાર્યો રૂ. 3 લાખનો મસમોટો દંડ

Tags :
Advertisement

.

×