મહારાષ્ટ્રમાં હશે 3 મુખ્યમંત્રી! સવારે 7 વાગ્યે પવાર, બપોરે 12 વાગ્યે ફડણવીસ, રાત્રે શિંદે
ફડણવીસે કહ્યું કે, અજિત પવાર સવારની શિફ્ટમાં, પોતે 12 વાગ્યે અને શિંદે મોડી રાત્રે કામ કરશે તેવી વાત કરી ત્રણેય પક્ષ સમાન હોવાના સંકેત આપ્યા.
Advertisement
- મહારાષ્ટ્રમાં ત્રણ મુખ્યમંત્રી રહેશે તેવી ફડણવીસની જાહેરાત
- જો કે સંવૈધાનિક રીતે શક્ય નથી પરંતુ તેઓએ સાથીના વિશ્વાસ માટે વાત કરી
- ત્રણેય પક્ષો એક સમાન જ શક્તિશાળી છે તેવું દર્શાવવા માટે ઔપચારિક નિવેદન
મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને ઉપમુખ્યમંત્રી અજિત પવારને મુખ્યમંત્રી બનવાની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે, તમને પરમેનેન્ટ ડેપ્યુટી સીએમ કહેવામાં આવે છે. જો કે મારી શુભકામનાઓ તમારી સાથે છે. તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો. ફડણવીસે ગુરૂવારે કહ્યું કે, ઉપમુખ્યમંત્રી અજિત પવાર તથા એકનાથ શિંદે 24 કલાક સાતેય દિવસ કામ કરશે.

