'જેમના સિંદૂર છીનવાઈ ગયા, તેમનામાં બહાદુરીની ભાવના નથી...', BJP સાંસદની ટિપ્પણી પર હોબાળો
- BJP સાંસદ રામચંદ્ર જાંગરાએ વાંધાજનક નિવેદન આપ્યું
- રામચંદ્ર જાંગરાના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો
- આ ખૂબ જ ઘૃણાસ્પદ ટિપ્પણી છે- દીપેન્દ્ર હુડ્ડા
BJP MP Controversy: તાજેતરના પહેલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં 'ઓપરેશન સિંદૂર'ને લઈને ઘણી એકતા જોવા મળી રહી છે, પરંતુ આ દરમિયાન કેટલાક રાજકારણીઓના નિવેદનો વિવાદનું કારણ બની રહ્યા છે. હરિયાણાના ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ એવું નિવેદન આપ્યું છે જેનાથી લોકો ચોંકી ઉઠ્યા છે. તેમણે કહ્યું કે આ હુમલામાં જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તેમનામાં બહાદુરીની ભાવના નહોતી. તેમનું માનવું છે કે જો મહિલાઓએ આતંકવાદીઓ સામે લડત આપી હોત તો નુકસાન ઓછું થાત. આ ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તેને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અસંવેદનશીલ ગણાવવામાં આવી રહી છે.
મહિલાઓ વિશે ટિપ્પણીઓ હતી
સાંસદ રામચંદ્ર જાંગરાએ પહેલગામ હુમલા પર નિવેદન આપ્યું હતું, જેના પછી તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વાસ્તવમાં, સાંસદે પહેલગામ હુમલા દરમિયાન હાજર મહિલાઓ વિશે કહ્યું હતું કે આતંકવાદી હુમલામાં મહિલાઓએ ડરવાની જગ્યાએ હિંમત બતાવવી જોઈતી હતી. તેમણે કહ્યું કે 'મહિલાઓમાં ઉત્સાહ નહોતો, જુસ્સો નહોતો, દીલ નહોતું, તેથી જ તેઓ હાથ જોડીને ગોળીઓનો શિકાર બની હતી.' કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પણ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો : ‘America એ જે કંઈ સહન કર્યું તે અમે પણ કર્યું છે...’, 9/11 મેમોરિયલની બહાર આતંકવાદ પર શશિ થરૂરનું નિવેદન
આ ખૂબ જ ઘૃણાસ્પદ ટિપ્પણી છે- દીપેન્દ્ર હુડ્ડા
રામચંદ્ર જાંગરાના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે. દીપેન્દ્ર હુડ્ડાએ X પર વીડિયો શેર કરતા લખ્યું, 'પહેલગામ હુમલામાં આતંકીઓએ જેમના સુહાગ ઉજાડી દીધા, હવે તેમની મર્યાદા ઉજાડવાનુ કામ હરિયાણાના ભાજપના સાંસદ રામચંદ્રજી કરી રહ્યા છે.' તેમણે આગળ લખ્યું, 'આ ખૂબ જ ઘૃણાસ્પદ ટિપ્પણી છે, ભાજપ સતત શહીદ પરિવારોનું અપમાન કરી રહી છે, જેના પર રોક લગાવવી જોઈએ.'
पहलगाम हमले में आतंकियों ने जिनके सुहाग उजाड़ दिए, अब उनकी मर्यादा उजाड़ने का काम हरियाणा के ये भाजपा सांसद रामचंद्र जी कर रहे हैं।
ये बेहद घृणित टिप्पणी है, भाजपा की तरफ से लगातार शहीद परिवारों का अपमान हो रहा है। इस पर लगाम लगनी चाहिए। pic.twitter.com/h6mtdm5OLW
— Deepender Singh Hooda (@DeependerSHooda) May 24, 2025
આ વિવાદ ભાજપ માટે નવો નથી. અગાઉ મોહન સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે પાર્ટીને દેશભરમાં ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હવે રામચંદ્ર જાંગરાનું આ નિવેદન ભાજપની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે.
આ પણ વાંચો : PM મોદીની અધ્યક્ષતામાં આજની NDAની બેઠક કેમ મહત્વપૂર્ણ? 20 મુખ્યમંત્રી અને 18 ડેપ્યુટી CM સામેલ થશે