બંધારણના શિલ્પી Dr. Bhimrao Ambedkar ની આજે 134મી જન્મજયંતિ
- બંધારણના શિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકર
- સમાનતાનો અવાજ એટલે બાબા સાહેબ આંબેડકર
- ભેદભાવ સામેના લડવૈયા
- ડૉ. આંબેડકરનો સંઘર્ષથી શિખર સુધી
- અસ્પૃશ્યતા સામે ક્રાંતિનો અવાજ
- ભારતના બંધારણના ઘડવૈયા
Dr. Bhimrao Ambedkar Jayanti : આજે, 14 એપ્રિલ, ભારતના બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ જયંતિ છે. તેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આખું જીવન સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના માટે સમર્પિત કર્યું હતું.
પ્રારંભિક જીવન અને સંઘર્ષ
ડૉ. ભીમરાવ આંબેડકર (Dr. Bhimrao Ambedkar) નો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. તેમના પિતા રામજી માલોજી સકપાલ અને માતા ભીમાબાઈ હતાં. આંબેડકર તેમના માતા-પિતાના ચૌદમા સંતાન હતા. તેઓ મહાર જાતિમાં જન્મ્યા હતા, જેને તે સમયે અસ્પૃશ્ય અને નીચલા વર્ગ તરીકે ગણવામાં આવતી હતી. આ કારણે, તેમણે બાળપણથી જ સામાજિક ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. તેમને શિક્ષણ, ખાવા-પીવા, બેસવા અને સામાજિક સુવિધાઓથી વંચિત રાખવાના પ્રયાસો થયા હતા. આ પડકારો હોવા છતાં, બાબા સાહેબ આંબેડકરે પોતાને શિક્ષિત કરવાનું નક્કી કર્યું. તેમની આ મુસાફરી સરળ ન હોતી. શાળામાં તેમની સાથે ભેદભાવ થતો, પરંતુ તેમણે હિંમત ન હારી અને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
શિક્ષણ અને સમાજ સુધારણા માટે સંઘર્ષ
આંબેડકરનું શિક્ષણ એક પ્રેરણાદાયી સફર હતી. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને કાયદાનો અભ્યાસ કરીને ડોક્ટરેટની પદવી મેળવી. આ શૈક્ષણિક સિદ્ધિઓએ તેમને એક કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ઇતિહાસકાર અને ફિલસૂફ તરીકે સ્થાપિત કર્યા. શિક્ષણ પૂર્ણ કરીને આંબેડકર ભારત પરત ફર્યા, જ્યાં તેમણે સમાજમાં પરિવર્તન લાવવાનું સ્વપ્ન જોયું. પરંતુ, તેમની જાતિના કારણે તેમને ઘણી વખત અપમાનનો સામનો કરવો પડ્યો. આ અનુભવોએ તેમને હિન્દુ ધર્મની અસમાનતાઓ પ્રત્યે વધુ સજાગ બનાવ્યા. તેમણે દલિતો, મહિલાઓ અને કામદારોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. તેમણે પોતાના સમુદાયને આત્મનિર્ભર બનવા અને પોતાની મહેનતથી જીવન જીવવા પ્રેરણા આપી. તેમનું એક પ્રખ્યાત વાક્ય હતું: "હજારો વર્ષોથી મારો સમુદાય બીજાના ચરણ સ્પર્શ કરીને જીવે છે. હું તેમને એટલા સક્ષમ બનાવવા માંગુ છું કે તેઓ પોતાનું જીવન કોઈના ટેકા પર નહીં પણ પોતાની મહેનત પર જીવે. પરંતુ મારા લોકો મારા ચરણ સ્પર્શ કરીને પોતાની જવાબદારીઓ ભૂલી જવા માંગે છે."
Remembering the Father of the Indian Constitution, Dr. Bhimrao Ambedkar, on his birth anniversary.#DrBRAmbedkar #FatherOfTheIndianConstitution @PMOIndia @HMOIndia @MSJEGOI @MLJ_GoI @mpa_india @AshwiniVaishnaw @Murugan_MoS @PIB_India @airnewsalerts @DDNewslive pic.twitter.com/fmjNo2Ct3j
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 14, 2025
વ્યક્તિગત જીવન
બાબાસાહેબ આંબેડકર (Babasaheb Ambedkar) ના લગ્ન 1906 માં રમાબાઈ સાથે થયા હતા. રમાબાઈએ તેમના સંઘર્ષના દિવસોમાં તેમનો ખૂબ સાથ આપ્યો હતો. બાબા સાહેબનું જીવન એક પ્રેરણાસ્ત્રોત છે, જે દર્શાવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ મનુષ્ય પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે.
બંધારણનું નિર્માણ અને રાષ્ટ્રીય યોગદાન
15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી બાદ, બાબા સાહેબને પ્રથમ કાયદા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને, 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણની રચના માટે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બાબા સાહેબે બંધારણમાં દલિતો, મહિલાઓ અને કામદારોના અધિકારોને પ્રાધાન્ય આપ્યું. તેમણે એવું બંધારણ ઘડ્યું જે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર આધારિત હતું. તેમણે કહ્યું હતું: "વાસ્તવિક લોકશાહી ત્યારે જ સ્થપાશે જ્યારે મહિલાઓને મિલકતમાં સમાન હિસ્સો અને પરિવારમાં પુરુષો જેટલા અધિકારો મળશે." આ વિચારે તેમની પ્રગતિશીલ દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે.
અંતિમ દિવસો
ડૉ. આંબેડકર ડાયાબિટીસની બિમારીથી પીડિત હતા. લાંબા સમય સુધી આ રોગ સામે લડ્યા બાદ, 6 ડિસેમ્બર, 1956ના રોજ તેમનું નિધન થયું. પરંતુ, તેમનું યોગદાન અને વિચારો આજે પણ ભારતના લોકોને પ્રેરણા આપે છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. ભીમરાવ આંબેડકર એક એવી વ્યક્તિ હતા જેમણે પોતાના જીવનમાં અસંખ્ય અડચણોનો સામનો કર્યો, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. તેમનું શિક્ષણ, સમાજ સુધારણા માટેનો સંઘર્ષ અને બંધારણનું નિર્માણ આજે પણ ભારતના ઇતિહાસનો એક અમૂલ્ય ભાગ છે. તેમનો જન્મદિવસ દર વર્ષે આપણને તેમના આદર્શો અને સમાનતાના સંદેશને યાદ કરવાનો અવસર આપે છે.
આ પણ વાંચો : Gujarat : ડૉ.બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના