ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તમિલનાડુમાં વિજયની રેલીમાં ભાગદોડ થતા 36નાં મોત, અભિનેતાએ કહ્યું 'હૃદય તૂટી ગયું'

તમિલનાડુના કરુરમાં થલપતિ વિજયની TVK રેલીમાં મોટી દુર્ઘટના, 36 લોકોના મોતથી શોક. જાણો, ભીડ વ્યવસ્થાપનની નિષ્ફળતા અને વિજયનું પ્રથમ ભાવુક નિવેદન. CM સ્ટાલિનની સહાયની જાહેરાત.
09:09 AM Sep 28, 2025 IST | Mihir Solanki
તમિલનાડુના કરુરમાં થલપતિ વિજયની TVK રેલીમાં મોટી દુર્ઘટના, 36 લોકોના મોતથી શોક. જાણો, ભીડ વ્યવસ્થાપનની નિષ્ફળતા અને વિજયનું પ્રથમ ભાવુક નિવેદન. CM સ્ટાલિનની સહાયની જાહેરાત.
Vijay TVK Rally Stampede

Vijay TVK Rally Stampede : તમિલનાડુના કરુર જિલ્લામાં શનિવાર, 27 સપ્ટેમ્બરના રોજ, અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયની પાર્ટી 'તમિલગા વેત્ત્રી કઝગમ (TVK)'ની વિશાળ જનસભા એક ગમખ્વાર દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. અચાનક મચેલી અફરાતફરી જેવી સ્થિતિમાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નિપજ્યા છે, અને લગભગ 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 16 મહિલાઓ, 9 પુરુષો અને 6 બાળકોનો સમાવેશ થાય છે. આ ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

થલપતિ વિજયનું પ્રથમ ભાવુક નિવેદન (Vijay TVK Rally Stampede)

દુર્ઘટના બાદ TVKના વડા થલપતિ વિજયએ પ્રથમ વખત આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.વિજયે સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરતાં લખ્યું: "મારું હૃદય તૂટી ગયું છે; હું અસહ્ય, અવર્ણનીય પીડા અને શોકમાં છું, જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. કરુરમાં મારા પ્રિય ભાઈઓ અને બહેનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું."

વિજયના આ નિવેદન પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાહુલ ગાંધી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી સ્ટાલિન દ્વારા વળતરની જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનએ પીડિત પરિવારો માટે તાત્કાલિક વળતરની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનોને રુ.10 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, સરકારે ઘાયલોની સારવાર માટે પણ વિશેષ વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.

અકસ્માતનું કારણ અને વ્યવસ્થાપનની નિષ્ફળતા

કરુરની આ દુર્ઘટના માત્ર એક રેલી અકસ્માત નથી, પરંતુ ભીડ વ્યવસ્થાપન (Crowd Management)ની એક મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  17 વિદ્યાર્થિનીઓના શોષણના આરોપસર બાબા ચૈતન્યાનંદની ધરપકડ, ₹8 કરોડની સંપત્તિ જપ્ત

Tags :
Crowd Management FailureKarur StampedeVijay Emotional StatementVijay TVK Rally Stampede
Next Article