ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP by Election : ભાજપે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો અખિલેશની બેઠક પરથી કોણ લડશે ચૂંટણી

ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
12:12 PM Oct 24, 2024 IST | Hardik Shah
ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
BJP releases a list of candidates

ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે કુંડારકી બેઠકે રામવીર સિંહ ઠાકુરને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. ગાઝિયાબાદ સદરથી સંજીવ શર્માને પાર્ટીના પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરેન્દ્ર દિલેરને ખેરથી ચૂંટણી લડશે. ગાઝિયાબાદ અને ખેર એ બંને બેઠક BJP માટે મજબૂત માનવામાં આવે છે. ભાજપના આ ઉમેદવારોના પસંદગીથી પક્ષે આશા રાખી છે કે તેઓ આ બેઠકોમાં વીજય મેળવી શકે.

કરહાલ બેઠક પર કોને બનાવ્યા ઉમેદવાર?

સમાજવાદી પાર્ટીના (સપા) પ્રમુખ અખિલેશ યાદવના રાજીનામાને કારણે કરહાલ બેઠક ખાલી પડી હતી. આ ખાલી બેઠક પર પાર્ટીએ અનુજેશ યાદવને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આ વિસ્તારની સ્થાનિક રાજનીતિમાં વળાંક લાવવાનો પ્રયત્ન કરશે. સપાએ અહીં પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે. તેમણે એક મજબૂત ઉમેદવાર તરીકે આ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી કરી છે. અખિલેશ યાજવ આ બેઠકને ફરીથી જીતવા માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપે ફુલપુરમાંથી દીપક પટેલને ઉમેદવાર બનાવ્યા છે. કથેરી બેઠક પરથી ધર્મરાજ નિષાદને ટિકિટ આપવામાં આવી છે. ઉપરાંત સૂચિસ્મિતા મૌર્ય ભાજપની ટિકિટ પર મઝવાનથી ચૂંટણી લડશે.

ભાજપના ઉમેદવારોની યાદી

SP, BSP અને BJP પેટાચૂંટણી લડી રહેલા ત્રણ મોટા પક્ષો

ચૂંટણી પંચે મિલ્કીપુર (અયોધ્યા) સિવાયની 9 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. સપાએ કરહાલ, સિસામાઉ, ફુલપુર, મિલ્કીપુર, કટેહારી, મઝવાન અને મીરાપુરથી પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. મતગણતરી 13 નવેમ્બરે થશે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે. SP, BSP અને BJP પેટાચૂંટણી લડી રહેલા ત્રણ મોટા પક્ષો છે. જ્યારે કોંગ્રેસ સપાને સમર્થન આપી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત આ મતવિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.

આ પણ વાંચો:  દમ ઘૂંટાઈ રહ્યો છે દિલ્હીના લોકોનો! ઝેરી શ્વાસ લેવા રાજધાનીવાસીઓ મજબૂર

Tags :
Akhilesh Yadav ResignationAnujesh Yadav CandidacyBjp Candidates ListDeepak PatelDharmraj NishadElection Commission AnnouncementsElection Nomination DeadlineGhaziyabad CandidateGujarat FirstHardik ShahKundarki ConstituencyPolitical Landscape in UPSP BSP BJP CompetitionSuchismita MauryaSurendra DilerUP by-electionsup by-elections BJP candidates listUp NewsupbypollsUttar Pradesh By-Electionsuttar-pradesh newVote Counting Dates
Next Article