ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હીમાં સાવરકર પર હોબાળો, NSUIએ PMને લખ્યો પત્ર, DU કોલેજનું નામ મનમોહન સિંહ રાખવાની માંગ

NSUIએ PM મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ડીયુ કોલેજનું નામ ડૉ.મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ કરી છે.
08:34 PM Jan 02, 2025 IST | MIHIR PARMAR
NSUIએ PM મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ડીયુ કોલેજનું નામ ડૉ.મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ કરી છે.
NSUI wrote letter

NSUI Wrote Letter To PM Modi : વીર સાવરકરના નામ પર દેશમાં ફરી રાજકારણ ગરમાયું છે. એનએસયુઆઈએ PM મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ડીયુ કોલેજનું નામ ડૉ.મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ કરી છે.

NSUIએ વડા પ્રધાન મોદીને લખ્યો પત્ર

રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વીર સાવરકરના નામને લઈને હોબાળો થયો છે. 3 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટીમાં એક કોલેજનો શિલાન્યાસ કરશે, જેનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. તેના વિરોધમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોલેજનું નામ વીર સાવરકર નહીં પરંતુ ડૉ. મનમોહન સિંહ રાખવાની માંગ કરી છે.

કોલેજનું નામ દિવંગત પૂર્વ PM ડો. મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ

એનએસયુઆઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલ્હી યુનિવર્સિટી હેઠળની કોલેજનું નામ દિવંગત પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ કરી છે. તેમણે એવી પણ માગણી કરી છે કે, એક કેન્દ્રીય યુનિવર્સિટીનું નામ ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે અને તેમના જીવનની સફરને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે.

આ પત્રમાં ડો. મનમોહન સિંહ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે દેશવાસીઓને ઐતિહાસિક સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ 2009, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આપ્યો. દેશમાં IIM, IIT અને AIIMS જેવી મોટી સંસ્થાઓની સ્થાપનામાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું.

આ પણ વાંચો :  આવતા અઠવાડિયે જાહેર થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, જાણો ક્યારે થઈ શકે છે મતદાન

Tags :
AIIMScentral universitycurriculumDelhi UniversityDU collegefield of educationIIMiitimportant contributionlate Dr. Manmohan Singhletterlife journeyNSUIpm modiPoliticsRight to Education ActVeer Savarkar
Next Article