Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કેરળમાં 'વંદે માતરમ' મુદ્દે મોટો વિવાદ, CM સતીશન અને રાજ્યપાલ આમને-સામને

કેરળ વિધાનસભામાં વંદે માતરમના ગાનને લઈને રાજ્યપાલ અને સરકાર વચ્ચે ગંભીર મતભેદો સામે આવ્યા છે. એક તરફ રાજ્યપાલે સંપૂર્ણ ગાન ન થવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ મુખ્યમંત્રી સતીસને કોઈ કાયદાકીય ફરજિયાતતા ન હોવાનો તર્ક આપ્યો છે. ભાજપે તેને બંધારણીય શિષ્ટાચારનું ઉલ્લંઘન ગણાવીને આકરા પ્રહાર કર્યા છે. આ વિવાદે કેરળના રાજકારણમાં ભારે ઉત્તેજના પેદા કરી છે, જેનું પરિણામ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
કેરળમાં  વંદે માતરમ  મુદ્દે મોટો વિવાદ  cm સતીશન અને રાજ્યપાલ આમને સામને
Advertisement

Vande Mataram controversy Kerala : કેરળ વિધાનસભા (Kerala Assembly) માં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (Governor Rajendra Arlekar) ના નીતિગત ભાષણ દરમિયાન વંદે માતરમ (Vande Mataram) ના સંપૂર્ણ ગાનના મુદ્દે એક નવો રાજકીય વિવાદ છેડાયો છે. વિધાનસભામાં ગીતનો માત્ર પ્રારંભિક શ્લોક જ રજૂ કરવામાં આવતા રાજ્યપાલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, જેનો જવાબ મુખ્યમંત્રી વી.ડી. સતીસન (CM VD Satheesan) એ આપ્યો છે.

Vande Mataram controversy Kerala  : રાજ્યપાલની નારાજગીનું કારણ

વિધાનસભાના કાર્યક્રમ બાદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ રાજ્યપાલ ગૃહમાં હાજર હોય ત્યારે પરંપરા મુજબ વંદે માતરમ સંપૂર્ણ ગાવામાં આવવું જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે અગાઉ માત્ર તેને વગાડવામાં આવતું હતું, પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે ગાવાની જરૂર છે.

Advertisement

મુખ્યમંત્રી સતીસનનો વળતો પ્રહાર

આ મામલે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી વી.ડી. સતીસને કહ્યું કે સંપૂર્ણ વંદે માતરમ ગાવું ફરજિયાત હોવાનો કોઈ સંસદીય કાયદો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "સંસદે આ બાબતે કોઈ કાયદો પસાર કર્યો નથી, માત્ર કેટલીક માર્ગદર્શિકા (Guidelines) જારી કરી છે." તેમણે વધુમાં જણાવ્યું કે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પોતાના કેન્દ્રીય નેતૃત્વની વિચારધારા મુજબ જ કામ કરે છે.

Advertisement

ભાજપનો આકરો વિરોધ

બીજી તરફ ભાજપ (BJP) એ કેરળ સરકાર પર નિશાન સાધ્યું છે. રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલા (Shehzad Poonawalla) એ સોશિયલ મીડિયા પર આ ઘટનાને બંધારણીય શિષ્ટાચારનું ઉલ્લંઘન ગણાવી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ (Congress) ની આગેવાની હેઠળની સરકાર રાષ્ટ્રગીતના સન્માનમાં નિષ્ફળ રહી છે.

Tags :
Advertisement

.

×