મોદી સરકાર Vande Mataram માટે નવો કાયદો લાવવાની કરી રહી છે તૈયારી!
- રાષ્ટ્રગાનની જેમ વંદે માતરમ માટે નવા નિયમો આવશે (Vande Mataram )
- ગાન દરમિયાન ઉભા રહેવું ફરજિયાત બનાવવાની વિચારણા
- કેન્દ્રીય ગૃહ મંત્રાલય પ્રોટોકોલના ડ્રાફ્ટ પર કરી રહ્યું છે કામ
- વિરોધ પક્ષોએ સરકારના સંભવિત નિર્ણય સામે ઉઠાવ્યા સવાલ
- દેશભક્તિ અને બંધારણીય ફરજો અંગે દેશમાં છેડાશે નવી ચર્ચા
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government) હવે રાષ્ટ્રગાન (National Anthem) ની જેમ જ "વંદે માતરમ" (Vande Mataram) ગાવા માટે એક સત્તાવાર પ્રોટોકોલ સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે. જો આ પ્રસ્તાવ અમલી બનશે, તો દેશમાં વંદે માતરમ ગાન દરમિયાન ઉભા રહેવું દરેક નાગરિક માટે ફરજિયાત બની શકે છે. હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) આ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.
Vande Mataram : કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની પ્રતિક્રિયા
વંદે માતરમને લઈને ચાલી રહેલા વિવાદ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh) એ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે વંદે માતરમ એ આઝાદીના સંગ્રામનો મૂળ મંત્ર હતો, પરંતુ કોંગ્રેસે તેને ક્યારેય પૂરતું મહત્વ આપ્યું નથી. બીજી તરફ, કોંગ્રેસ નેતા રશીદ અલ્વી (Rashid Alvi) એ જણાવ્યું કે ભારતમાં કોઈપણ વ્યક્તિ આ ગીત ગાવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેના માટે કોઈને દબાણ કરી શકાય નહીં. સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના ધારાસભ્ય રવિદાસ મેહરોત્રા (Ravidas Mehrotra) એ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, બળજબરીથી કંઈપણ લાદવું અયોગ્ય છે અને આ માત્ર મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
વંદે માતરમ પર કાયદો પસાર થાય તો શું બદલાશે?
જો સરકાર આ અંગે નવો કાયદો કે પ્રોટોકોલ લાવે છે, તો તેની સીધી અસર નીચે મુજબ જોવા મળી શકે છે:
રાષ્ટ્રગીતની જેમ જ તેનું સન્માન જાળવવું દરેક માટે ફરજિયાત બનશે.
ગાન દરમિયાન અવરોધ પેદા કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
રાષ્ટ્રવાદ અને ધાર્મિક સ્વતંત્રતા (Religious Freedom) જેવા વિષયો પર નવી દલીલો અને ચર્ચાઓ શરૂ થશે.
સરકારના આ નિર્ણયને ભવિષ્યમાં કોર્ટમાં પડકારવામાં આવે તેવી પણ શક્યતા છે.
વંદે માતરમનો ઈતિહાસ અને ભાજપનો પક્ષ
વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટર્જી (Bankim Chandra Chatterjee) દ્વારા ૧૮૭૫માં કરવામાં આવી હતી, જે તેમની પ્રખ્યાત નવલકથા "આનંદમઠ" (Anandamath) નો પણ હિસ્સો છે. ૧૯૫૦માં તેને રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. યુપી ભાજપના પ્રવક્તા હરિશ્ચંદ્ર શ્રીવાસ્તવ (Harishchandra Srivastava) જણાવે છે કે, આ ગીત માતૃભૂમિ પ્રત્યેની શ્રદ્ધાંજલિ છે અને તે લોકોમાં દેશભક્તિ જગાડે છે. જો સરકાર તેને ફરજિયાત બનાવવાનો નિર્ણય લે છે, તો તે અત્યંત સ્વાગતપાત્ર ગણાશે.
બંધારણની કલમ 51(A) શું કહે છે?
અહેવાલ મુજબ, હાલમાં 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971' માત્ર રાષ્ટ્રગાન (National Anthem) પર લાગુ પડે છે. બંધારણની કલમ 51(A) મુજબ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. જો વંદે માતરમને પણ આ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવશે, તો તેનું અપમાન કરનારને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ થઈ શકે છે.
આ પણ વાંચો : Digital Payment માં ભારતની મોટી છલાંગ, UPI નો ઉપયોગ 300 ટકા વધ્યો


