Chhattisgarh : ગારિયાબંદના બકલી ગામમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, ઘરો અને વાહનોને ટોળાએ સળગાવ્યા
- Chhattisgarh : છત્તીસગઢના ગારિયાબંદમાં હિંસક અથડામણ
- જૂની અદાવતમાં બે અપરાધિક જૂથ સામસામે
- મકાનોમાં તોડફોડ અને વાહનોમાં કરી આગચંપી
- રાજિમના દૂધકૈયા ગામમાં પોલીસ વધ્યો તણાવ
- જૂથ અથડામણમાં અનેક પોલીસકર્મી ઈજાગ્રસ્ત
Chhattisgarh : છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના એક ગામમાં બે સમુદાય વચ્ચે હિંસક અથડામણની ઘટના બની છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે. આ અથડામણમાં આગ લાગી હતી જેમાં અનેક ઘરો અને મકાનોને સળગાવી નાખવામાં આવ્યા હતા. જેના કારણે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ તે જ છે. જે 4 મહિના પહેલા કથિત લૂંટ અને હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હતા.
Chhattisgarh : આરોપીઓને જામીન પર કરાયા હતા મુક્ત
આ વ્યક્તિઓને અગાઉ જિલ્લામાં એક શિવ મંદિરમાં તોડફોડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તેમને જેલમાં ધકેલી દીધા હતા. તાજેતરમાં, જામીન પર મુક્ત થયા પછી, આરોપીઓએ બકલી ગામમાં ફરી ફરિયાદી અને અન્ય ગ્રામજનો પર હુમલો કર્યો હતો. સશસ્ત્ર હુમલાખોરોએ સ્થાનિક રહેવાસીઓ પર હુમલો કર્યો હતો, જેનાથી ગુસ્સો ભડક્યો હતો અને પરિસ્થિતિ હિંસક બની હતી.
હિંસા કેવી રીતે ફાટી નીકળી ?
એક સમુદાયના સભ્યો પર કથિત રીતે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ગામમાં વ્યાપક ગુસ્સો ફેલાયો હતો. બદલામાં, ગ્રામજનોએ આરોપીઓના ઘરોમાં આગ લગાવી દીધી અને ત્રણથી ચાર વાહનો સળગાવી દીધા. પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારને સુરક્ષિત કરી લીધો, ગામને છાવણીમાં ફેરવી દીધું. આગ ઓલવવા અને ઈજાગ્રસ્તને રાહત પહોંચાડવા માટે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. અધિકારીઓએ આપેલા અહેવાલ અનુસાર હિંસાને કાબૂમાં લેવા અને તેને વધતી અટકાવવાનો પ્રયાસ કરતી વખતે ઘણા પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.
#WATCH | Gariaband, Chhattisgarh | On clash between two groups in the district, SP Gariaband Vedvrat Sirmour says, "In village Dutkaiya, a serial offender, Arif, with his two aides, assaulted a few people. The villagers were angry, after which, they gheraoed the houses of Arif… pic.twitter.com/dElFTeR4MT
— ANI (@ANI) February 1, 2026
પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તણાવ યથાવત છે
આ ગુનેગારો મહિનાઓથી વિસ્તારમાં ખંડણી અને લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ પહેલા પણ ઘણી વખત જેલમાં ગયા હતા અને તાજેતરમાં જ્યારે આ નવી હિંસા ફાટી નીકળી ત્યારે તેઓ જામીન પર બહાર આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાટખોજ અને આસપાસના ગામોમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે, જોકે તણાવ યથાવત છે.
આ પણ વાંચો ------ Budget 2026 : શું સસ્તું થયું અને શું મોંઘું? નાણા મંત્રીએ કરી મોટી જાહેરાતો


