જાતિગત વસ્તી ગણતરી શું છે અને કેમ મહત્વપૂર્ણ? જાણો દેશમાં જાતિ ગણતરીથી શું થશે અસર
- કેન્દ્ર સરકાર જાતિ જનગણના કરાવશે
- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાતિ જનગણનાનો લીધો નિર્ણય
- જાતિગત જનગણના મૂળ જનગણનામાં શામેલ હશે
- જનગણનાના અંતિમ આંકડા વર્ષ 2026ના અંતમાં આવી શકે છે
- 2026 અથવા 2027ના પ્રારંભમાં આંકડા આવશે
- દર 10 વર્ષે થાય છે જાતિગત જનગણના
Cabinet Press Briefing : PM મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠક (Cabinet Press Briefing)બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે, તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.
કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય
રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે. કારણકે, તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સામેલ છે.
જાતિગત જનગણનાનો ઈતિહાસ
- 1881માં પહેલીવાર દેશમાં અંગ્રેજોએ જાતિગત જનગણના કરાવી
- આ જનગણનામાં જાતિઓની પણ ગણતરી થતી હતી
- 1931 સુધી આ પરંપરા ચાલતી રહી
- 1941માં જાતિગત જનગણના તો થઈ પરંતુ આંકડા જાહેર ના થયા
- આઝાદ ભારતની પહેલી કેબિનેટ બેઠક યોજાઈ
- પહેલી કેબિનેટ બેઠકમાં નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલની બેઠક થઈ
- ડૉ.ભીમરાવ આંબેડકર, મૌલાના આઝાદ જેવા નેતાઓની બેઠક થઈ
- આ નેતાઓએ જાતિગત જનગણના નહીં કરવાનો નિર્ણય કર્યો
- આ નેતાઓનું માનવું હતુ કે જાતિગત જનગણનાથી અવરોધ આવશે
- આ નિર્ણયથી સમાજમાં વિભાજનકારી વલણ સર્જાશે
- આઝાદી બાદ 1951માં પહેલી જાતિગત જનગણના યોજાઈ
- આ જનગણનામાં તમામ જાતિઓના બદલે SC-STની ગણતરી થઈ
- જનગણનામાં SC-STની ગણતરી કરવા પાછળ પણ તર્ક હતો
- SC-STને સંવિધાનિક રીતે આરક્ષણ આપવાની જોગવાઈ હતી
- બંધારણની જોગવાઈના કારણે SC-STની ગણના કરવામાં આવી
ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી?
ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં હાથ ધરવામાં આવી હતી. આ સ્વતંત્ર ભારતની સાતમી વસ્તી ગણતરી હતી અને અત્યાર સુધી તેને દેશની 15મી વસ્તી ગણતરી માનવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હતો, જે એપ્રિલ અને સપ્ટેમ્બર 2010 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. બીજો તબક્કો વસ્તી ગણતરીનો હતો, જે 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2011 સુધી ચાલી હતી. આમાં, ભારતની કુલ વસ્તી 121 કરોડથી વધુ નોંધાઈ હતી.
આ પણ વાંચો -PM મોદીની એક બાદ એક 5 બેઠક,વોર રૂમમાં કરશે મોટી ચર્ચા!
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી બનવાની
આ વસ્તી ગણતરીમાં પુરુષોની સંખ્યા લગભગ 62.3 કરોડ અને સ્ત્રીઓની સંખ્યા 58.7 કરોડ હતી. વસ્તી વૃદ્ધિ દર 17.64% અને સાક્ષરતા દર 74.04% નોંધાયો હતો. કોવિડ-19 રોગચાળાને કારણે 2021ની વસ્તી ગણતરી પહેલા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વહીવટી અને રાજકીય કારણોસર તેને પણ મુલતવી રાખવામાં આવી હતી. આ વસ્તી ગણતરીને ખાસ માનવામાં આવી કારણ કે તે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી બનવાની હતી, જેમાં મોબાઇલ એપ્લિકેશન્સ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ડેટા એકત્રિત કરવાનું લક્ષ્ય હતું.
આ પણ વાંચો -BIG BREAKING: કેન્દ્ર સરકાર કરાવશે જાતિ આધારિત વસ્તી ગણતરી!
કેટલાક રાજ્યોએ વાંધો ઉઠાવ્યો હતો
વસ્તી ગણતરીની સાથે, સરકાર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) ને પણ અપડેટ કરવા માંગતી હતી, જેનો કેટલાક રાજ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. આ કારણે પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ. આ ઉપરાંત, નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને NPR ને લઈને દેશભરમાં રાજકીય ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો થયા, જેના કારણે વસ્તી ગણતરી પ્રક્રિયા પર અસર પડી.
જાતિગત વસ્તી ગણતરી શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?
વિપક્ષનું કહેવું છે કે જો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે તો સમાજમાં કઈ જાતિના કેટલા લોકો છે તેની વિગતો જાણી શકાશે. આનાથી તેમને અનામતનો લાભ મળી શકે છે. વિપક્ષ હંમેશા કહેતો રહ્યો છે કે પછાત વર્ગોની સંખ્યા વધારે છે પણ તેમની ભાગીદારી એટલી બધી નથી. રાહુલ ગાંધી દરેક સભામાં કહેતા રહ્યા છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ જાતિગત વસ્તી ગણતરી કરશે અને અનામતની 50 ટકા મર્યાદા ઓળંગશે.
જાતિ ગણતરીથી શું અસર થશે?
- જાતિ ગણતરી કરીને આપણે જાણી શકીશું કે કેટલા લોકો કઈ જાતિના છે.
- જો પછાત જાતિના લોકો વધુ હશે તો તેમને વધુ અનામત આપવાનું દબાણ આવશે.
- હાલમાં, ઘણી જાતિઓ એવી છે જેમને અનામતનો લાભ મળતો નથી, તેમને પણ ફાયદો થશે.
- અત્યાર સુધી સામાજિક-આર્થિક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી, પરંતુ પહેલીવાર જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
- આનાથી દેશના રાજકારણમાં ખાસ કરીને હિન્દી પટ્ટાના વિસ્તારોમાં મોટો ફેરફાર આવશે.
- ભારતમાં છેલ્લી જાતિગત વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી?