કોણ છે Bhawna Bohra જેમણે પગ પખાળીને 265 આદિવાસીઓની કરાવી છે ઘરવાપસી?
. છત્તીસગઢમાં ધર્માંતરણ સામે ધર્મવાપસીનું આયોજન
. ભાજપના MLA Bhawna Bohra બોહરાએ કરાવી ધર્મવાપસી
. કબીરધામ જિલ્લામાં 265 આદિવાસીઓના પગ પખાળી કરાવાઈ ધર્મવાપસી
Bhawna Bohra: છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં હિંદુ ધર્મવાપસીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 65 આદિવાસી મહિલા-પુરુષોએ સનાતન ધર્મમાં વાપસી કરી. કાર્યક્રમ પંડરિયા વિધાનસભા વનાંચલ ગામ દમગઢમાં પંડરિયાના ધારાસભ્ય ભાવના બોહરાની પહેલ પર થયું, જેના હેઠળ અત્યાર સુધી કુલ 265 લોકોની વાપસી કરાવી છે.
આયોજકો મુજબ, આ ઘર્મવાપસી સંપૂર્ણપણે સ્વેચ્છાથી થઈ છે, અને તેનો ઉદેશ્ય પોતાના મૂળ ધર્મમાં પાછા ફરનારા પરિવારોનું સમ્માન અને સામાજિક સ્વીકાર્યતા આપવાનો છે.
સંપૂર્ણ સ્વેચ્છાથી ધર્મવાપસી
આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે ધર્મવાપસી સંપૂર્ણપણે સ્વેચ્છાથી થઈ છે. આનો મુખ્ય ઉદેશ્ય એ પરિવારોનું સમ્માન અને સામાજિક સ્વીકાર્યતા આપવાનો છે, જેઓ પોતાના મૂળ ધર્મમાં પાછા ફરી રહ્યા છે. ધર્મવાપસી કરનારા આદિવાસી પરિવારોનું પરંપરાગત રીતિ-રિવાજો અને વિધિ-વિધાનો સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભાવના બોહરાએ ખુદ લોકોના પગ પખાળીને તેમનું સમ્માન કર્યું. તેમણે ધર્મવાપસી કરનારાઓને ભેંટ પણ આપી.
આ પણ વાંચો : Gujarat: પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં પિતા-પુત્રની ધરપકડ, જાણો મોરારીબાપુએ શું કહ્યું?
અન્ય ધર્મ અંગિકાર કરવાનું કારણ
ધર્મવાપસી કરનારા લોકોએ પોતાના પહેલાના ધર્માંતરણના કારણો શેયર કર્યા. તેમણે કહ્યુ કે બીમારી, આર્થિક પરેશાની અને કઠિન પરિસ્થિતિઓને કારણે તેમણે પહેલા અન્ય ધર્મ અંગિકાર કર્યો હતો. હવે યોગ્ય જાણકારી મળી અને સ્થાનિક પ્રયાસોને કારણે તેઓ પોતાના મૂળ સનાતન ધર્મમાં પાછા ફર્યા છે. આ વાપસીથી તેમને માનસિક શાંતિ અને સંતોષની અનુભૂતિ થઈ છે.
ખ્રિસ્તી મિશનરીઓ પર લગાવ્યા આરોપ
સ્થાનિક લોકોએ આદિવાસી ક્ષેત્રોમાં મિશનરી ગતિવિધિઓને લઈને આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારની ઓછી ઉપલબ્ધિનો ફાયદો ઉઠાવીને લાંબા સમયથી ધર્માંતરણ કાર્ય ચાલી રહ્યું છે. બીમારી ઠીક કરવા અને આર્થિક મદદ જેવા વાયદા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.
આ પણ વાંચો : Illegal Conversion: 2000થી વધુ આદિવાસી પરિવારોનું ધર્માંતરણ, 20 વર્ષથી સક્રિય નેટવર્કનું કેરળ કનેક્શન
ભાવના બોહરાનો પરિચય
ભાવના બોહરા કબીરધામ જિલ્લાની પંડરિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને તેમણે 2023ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપની ટિકિટ પર જીત પ્રાપ્ત કરી. તેઓ આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ધર્માંતરણ કરી ચુકેલા લોકોની ઘરવાપસીના મિશન પર સક્રિય છે. છત્તીસગઢના તેઓ સૌથી વધુ અમીર ધારાસભ્ય છે. 2023ના ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમની મિલ્કત 33 કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે તેમના પણ 6 કરોડથી વધુની દેણદારી પણ છે.
આ સિવાય તેઓ આ વિસ્તારમાં એક શાળા પણ ચલાવે છે. એક સામાજિક સંસ્થાના માધ્યમથી સામાજિક કાર્ય પણ કરે છે. ધારાસભ્ય બનતા પહેલા તેઓ કબીરધામ જિલ્લા પંચાયતના સભાપતિ હતા. તેમનો જન્મ કવર્ધા જિલ્લાના રણવીર ગામમાં થયો છે. તેમના પતિ મનીષ બોહરા એક વ્યવસાયી છે. તેઓ કબીરધામ જિલ્લામાં ફ્રી એમ્બ્યુલન્સ સેવાનું પણ સંચાલન કરે છે.
આ પણ વાંચો : Surat : માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટનો પર્દાફાશ, વધુ એક મહિલા શિક્ષિકાની ધરપકડ


