Arvind Kejriwal એ હવે કોર્ટનો દરવાજો કેમ ખખડાવ્યો, ED-CBIને મોકલી નોટિસ
- કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી
- કેજરીવાલે પાસપોર્ટ રિન્યુ કરાવવાની પરવાનગી માંગી
- અરજી પર સુનાવણી કરતા કોર્ટે ED અને CBIને નોટિસ ફટકારી
Arvind Kejriwal: દિલ્હી એક્સાઇઝ કૌભાંડના મની લોન્ડરિંગના આરોપી અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં પાસપોર્ટ રિન્યુ કરાવવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે ED અને CBIને નોટિસ ફટકારી છે. આ મામલાની આગામી સુનાવણી 4 જૂને થશે.
કેજરીવાલનો પાસપોર્ટ 2018માં જ સમાપ્ત થઈ ગયો હતો
સુનાવણી દરમિયાન કેજરીવાલ વતી હાજર રહેલા વકીલે કહ્યું કે કેજરીવાલનો પાસપોર્ટ 2018માં જ સમાપ્ત થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે 10 જુલાઈ, 2024 ના રોજ, રાઉઝ એવન્યુ કોર્ટે ED ની ચાર્જશીટ પર ધ્યાન આપ્યું અને કેજરીવાલને હાજર થવાનો આદેશ આપ્યો હતો. 17 મે, 2024 ના રોજ, ED એ સાતમી પૂરક ચાર્જશીટ દાખલ કરી, જેમાં આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Divorce માટે તેજ પ્રતાપ અને ઐશ્વર્યા કોર્ટમાં હાજર થયા, ઐશ્વર્યાના વકીલે 4 અઠવાડિયાનો સમય માંગ્યો
ED એ 21 માર્ચ 2024 ના રોજ મોડી સાંજે અરવિંદ કેજરીવાલની પૂછપરછ કર્યા પછી ધરપકડ કરી હતી. 10 મે 2024 ના રોજ, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન 2024 સુધીના વચગાળાના જામીન આપ્યા હતા, ત્યારબાદ કેજરીવાલે 2 જૂન 2024 ના રોજ આત્મસમર્પણ કર્યું હતું. 26 જૂન 2024 ના રોજ CBI દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. 13 સપ્ટેમ્બર 2024 ના રોજ સુપ્રીમ કોર્ટે CBI કેસમાં કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા. તે પહેલાં, સુપ્રીમ કોર્ટે 12 જુલાઈ 2024 ના રોજ ED કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.
આ પણ વાંચો : PM મોદીની સિક્કિમ મુલાકાત રદ, કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી, જાણો શું કહ્યું...'