Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિંધુ સમજૂતીમાં પાકિસ્તાનને મદદ કરવાનો વિશ્વ બેંકે ઇનકાર કર્યો, કહ્યું- અમે કંઈ ના કરી શકીએ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી, ત્યારબાદ તેણે વિશ્વ બેંકનો સંપર્ક કર્યો હતો.
સિંધુ સમજૂતીમાં પાકિસ્તાનને મદદ કરવાનો વિશ્વ બેંકે ઇનકાર કર્યો  કહ્યું  અમે કંઈ ના કરી શકીએ
Advertisement
  • પાકિસ્તાનને મદદ કરવાનો વિશ્વ બેંકે ઇનકાર કર્યો
  • વિશ્વ બેંક સિંધુ જળ સંધિમાં માત્ર મધ્યસ્થી છે
  • ભારતના હકનું પાણી ભારત માટે ઉપયોગમાં લેવામાં આવશે

Indus Water Treaty: આ દિવસોમાં પાકિસ્તાન ચારે બાજુથી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. ભારત સાથેના તણાવ વચ્ચે તેણે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના મુદ્દે વિશ્વ બેંકને અપીલ કરી અને અહીં ફરી એકવાર તેને હારનો સામનો કરવો પડ્યો. વિશ્વ બેંકે શુક્રવારે (09 એપ્રિલ, 2025) કહ્યું હતું કે સંસ્થા સિંધુ જળ સંધિમાં માત્ર મધ્યસ્થી છે અને તે કંઈ કરી શકતી નથી.

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું, "અમારી ભૂમિકા ફક્ત મધ્યસ્થીની છે. વિશ્વ બેંક આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે તે અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ આ બધું બકવાસ છે. વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત મધ્યસ્થીની છે."

Advertisement

પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો

ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અકીલ મલિકે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ કાનૂની વિકલ્પોની યોજના બનાવી રહ્યું છે, જેમાં સંધિની મધ્યસ્થી સંસ્થા વિશ્વ બેંક સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો :  ભારતના ડ્રોન હુમલાને કેમ રોકી શક્યું નહી પાકિસ્તાન? સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આપ્યું હાસ્યાસ્પદ નિવેદન

વડાપ્રધાન મોદી પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે ભારતના હકનું પાણી હવે ભારત માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેમણે કહ્યું, "પાણીનો મુદ્દો (સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરીને) મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે... 'ભારતના હકનું પાણી ભારતના હકમાં વહેશે.'

સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પાકિસ્તાન સંઘર્ષ કરી રહ્યું છે

સિંધુ સંધિ સ્થગિત થયા પછી, ભારત હવે પાકિસ્તાનને કહેવા માટે બંધાયેલું નથી કે તે ક્યારે પાણી છોડશે અને કયા સમયે તેને બંધ કરશે. ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી તસવીરો સામે આવી, જેમાં સલાલ ડેમના ત્રણ દરવાજા ખુલ્લા જોવા મળ્યા. ભારતે અગાઉ ચેનાબ નદી પર સ્થિત આ બંધ દ્વારા પાકિસ્તાન તરફ વહેતા પાણીને નિયંત્રિત કર્યું હતું અને બાદમાં તેને ખોલ્યું હતું.

આ પણ વાંચો : OPERATION SINDOOR : ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બિરદાવતું સંઘ

Tags :
Advertisement

.

×