Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yavatmal children drowned : મહારાષ્ટ્રમાં કરૂણ ઘટના, યવતમાલમાં ખાડામાં ડૂબી 4 બાળકોના મોત

મહારાષ્ટ્રના યવતમાલમાં રેલવે ફ્લાયઓવરના બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડામાં ડૂબી 4 બાળકોના કરુણ મોત. પોલીસે તપાસ શરૂ કરી. નાસિકમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ.
yavatmal children drowned   મહારાષ્ટ્રમાં કરૂણ ઘટના  યવતમાલમાં ખાડામાં ડૂબી 4 બાળકોના મોત
Advertisement
  • મહારાષ્ટ્રના યવતમાળમાં 4 બાળકોના ડૂબી જવાથી મોત (Yavatmal children drowned)
  • ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદેલા ખાળામાં બાળકો ડૂબ્યા
  • બાંધકામ પાસે રમી રહેલા બાળકો વરસાદમાં ખાડામાં પડી ગયા
  • સમગ્ર મામલે બાંધકામ કંપનીની બેદરકારી અંગે તપાસ શરૂ

Yavatmal children drowned : મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. યવતમાળ જિલ્લાના દરવા શહેરમાંથી તાજેતરનો અને હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રેલ્વે ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદવામાં આવેલ ખાડો પાણીથી ભરાઈ જવાથી ચાર બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. આ દુ:ખદ ઘટના બુધવારે (20 ઓગસ્ટ) બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઉંમર 10 થી 14 વર્ષની વચ્ચે હતી અને આ અકસ્માત દરવા રેલ્વે સ્ટેશન નજીક થયો હતો. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે બાળકો બાંધકામ સ્થળ પાસે રમી રહ્યા હતા. એવી શંકા છે કે રમતી વખતે તેઓ વરસાદથી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હતા, અથવા કદાચ તેમાં તરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ રીહાન અસલમ ખાન, ગોલુ પાંડુરંગ નરનવરે, સૌમ્ય સતીશ ખડસન અને વૈભવ આશિષ બોથાલે તરીકે થઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વહીવટીતંત્રે બાંધકામ કંપનીની બેદરકારીની પણ તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement

નાસિક અને મરાઠવાડામાં પણ વરસાદનો પ્રકોપ

યવતમાલ ઘટના ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ મુશળધાર વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. નાસિક અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. ગંગાપુર ડેમમાંથી ગોદાવરી નદીમાં વધારાનું પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ગોદાઘાટ અને રામકુંડ જેવા વિસ્તારોમાં નાના મંદિરો ડૂબી ગયા હતા. પ્રખ્યાત દુતોંડ્ય મારુતિ પ્રતિમા પણ આંશિક રીતે ડૂબી ગઈ છે. દરણા નદીનું પાણીનું સ્તર પણ ખતરનાક રીતે વધી ગયું છે.

જયકવાડી ડેમ 95 ટકા ભરાઈ ગયો

બીજી તરફ, મરાઠવાડા પ્રદેશ માટે રાહતના સમાચાર છે. અહીં સ્થિત જયકવાડી ડેમમાં પાણીનો ભંડાર 95% થી વધુ ભરાઈ ગયો છે. સિંચાઈ વિભાગે સંકેત આપ્યો છે કે જરૂર પડ્યે આ ડેમમાંથી પણ પાણી છોડી શકાય છે. આ ડેમ આ પ્રદેશનો સૌથી મોટો જળ સ્ત્રોત છે, અને તેના ભરવાથી ખેડૂતો અને સ્થાનિક લોકોને પાણી પુરવઠામાં મોટી રાહત મળશે.

આ પણ વાંચો :   'Nora Fatehi જેવુ ફિગર જોઈએ' કહીને પતિએ કરાવ્યુ 3-3 કલાક કમરતોડ વર્ક આઉટ, કંટાળેલી પત્નીએ ભર્યું ચોંકાવનારું પગલુ

Tags :
Advertisement

.

×