Amreli Kunkavav Open Gutter: અમરેલીના કુંકાવાવમાં મોતનો કૂવો, ઢાંકણા વગરની ગટરમાં કાર ફસાઈ
- અમરેલીના કુંકાવાવ પંથકમાં ખુલ્લી ગટરમાં ખાબકી કાર
- નીલકંઠ શોપિંગ પાસે ભૂગર્ભ ગટરના ઢાંકણા લાંબા સમયથી ગાયબ
- કાર ફસાતા મોટી જાનહાનિ ટળી, અવારનવાર સર્જાય છે અકસ્માતો
- અનેક રજૂઆતો છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી નથી હલતું
- કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ
Amreli Kunkavav Open Gutter: અમરેલી (Amreli) જિલ્લાના કુંકાવાવ (Kunkavav) પંથકમાંથી સ્થાનિક તંત્રની ભારે બેદરકારી છતી કરતી એક ઘટના સામે આવી છે. કુંકાવાવમાં આવેલા નીલકંઠ શોપિંગ (Nilkanth Shopping) સેન્ટર પાસેની એક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં (Underground Gutter) અચાનક એક કાર ખાબકતા મોટો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Amreli Kunkavav Open Gutter : નીલકંઠ શોપિંગ પાસે ખુલ્લી ગટરનો આતંક
પ્રાપ્ત વિગતો અનુસાર, નીલકંઠ શોપિંગ પાસે આવેલી આ ભૂગર્ભ ગટરના ઢાંકણા (Gutter Covers) લાંબા સમયથી ગાયબ છે. આ ખુલ્લી ગટર વાહનચાલકો અને રાહદારીઓ માટે જાણે મોતનો કૂવો બની ગઈ છે. ગત રોજ અચાનક જ એક કાર અહીંથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકને ખુલ્લી ગટરનો અંદાજ ન આવતા કારનું ટાયર અંદર ફસાઈ ગયું હતું. આસપાસના લોકોએ દોડી આવીને મહામહેનતે કારને બહાર કાઢી હતી.
Car falls into open drainage in Kunkavav Amreli
Amreli | ખુલ્લી ગટરમાં ખાબકી કાર ! |Gujarat First
અમરેલીના કુંકાવાવ નીલકંઠ શોપિંગ પાસેની ભૂગર્ભ ગટરમાં કાર ફસાઈ
ભૂગર્ભ ગટરના ઉપરના ઠાકણાં લાંબા સમયથી ન હોવાથી બની દુર્ઘટના
અવાર નવાર અહીં વાહનો ઘુસી જવાની બની રહી છે ઘટનાઓ
સ્થાનિક… pic.twitter.com/6Z5gaqMb6V— Gujarat First (@GujaratFirst) February 21, 2026
સ્થાનિક તંત્રની ઘોર લાપરવાહી
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ જગ્યાએ અવારનવાર વાહનો ફસાઈ જવાની ઘટનાઓ (Vehicle Accidents) બનતી રહે છે. રાત્રિના અંધારામાં કે વરસાદના સમયે આ ખુલ્લી ગટર જીવલેણ સાબિત થઈ શકે છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વહીવટી તંત્ર (Local Administration) ને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ આ તરફ કોઈ જ ધ્યાન આપી રહ્યા નથી.
તંત્ર ક્યારે લગાવશે ઢાંકણું?
લોકોમાં હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના (Major Tragedy) કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? કોઈ નિર્દોષનો ભોગ લેવાશે ત્યારે જ આ ગટર પર ઢાંકણું લાગશે? લોકોની ઉગ્ર માંગ છે કે સત્વરે આ ભૂગર્ભ ગટરનું સમારકામ કરવામાં આવે અને બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.
આ પણ વાંચો : Dr. Bharat Kanabar: પક્ષ પલટુઓને ભાજપ નેતાનો કટાક્ષ, શર્ટ બદલે એમ રાજકીય પાર્ટીઓ બદલેઃ ડૉ.ભરત કાનાબાર


