Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli: રેસ્ક્યુ ફેરવાયું આપત્તિમાં, સિંહણે ટ્રેકર પાછળ દોટ મૂકી ને પછી જે થયું...

અમરેલીના રામપરામાં રેસ્ક્યુ બાદ મુક્ત કરાયેલી જાણીતી 'લક્ષ્મી' સિંહણે વનવિભાગના ટ્રેકર નકાભાઈ રામ પર ગંભીર હુમલો કર્યો હતો. અન્ય કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી તેમનો જીવ બચાવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રેકરને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. વનવિભાગે આ આકસ્મિક ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
amreli  રેસ્ક્યુ  ફેરવાયું આપત્તિમાં  સિંહણે ટ્રેકર પાછળ દોટ મૂકી ને પછી જે થયું
Advertisement
  • Amreli ના રામપરામાં સિંહોની સુરક્ષાની કામગીરી દરમિયાન ટ્રેકર પર હુમલો
  • રેસ્ક્યુ બાદ મુક્ત કરાતી સિંહણે ટ્રેકર પાછળ દોટ લગાવી
  • વનવિભાગના ટ્રેકર નકાભાઈ રામ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Amreli: અમરેલી જિલ્લાના રામપરા (Rampara) વિસ્તારમાં સિંહોની સુરક્ષા અને દેખરેખની કામગીરી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વનવિભાગના કર્મનિષ્ઠ ટ્રેકર નકાભાઈ રામ (Nakabhai Ram) પર સિંહણ દ્વારા અચાનક હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રેસ્ક્યુ (Rescue) ઓપરેશન બાદ સિંહણને પાંજરામાંથી મુક્ત કરવામાં આવી રહી હતી. જેવી સિંહણને પાંજરામાંથી છોડવામાં આવી, તેણે તુરંત જ ટ્રેકર પાછળ દોટ લગાવી હતી.

ઇજાગ્રસ્ત ટ્રેકર અને સારવાર

આ હુમલામાં વનવિભાગના ટ્રેકર નકાભાઈ રામને ગંભીર ઇજાઓ પહોંચી છે. સિંહણના હુમલાથી સ્થળ પર હાજર અન્ય કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ વનવિભાગના અન્ય સાથી કર્મચારીઓએ અદભૂત સમયસૂચકતા વાપરી હતી. કર્મચારીઓએ હિંમત દાખવી સિંહણને દૂર ભગાડી હતી અને નકાભાઈનો જીવ બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

Advertisement

amreli lion attack_GujaratFirst 22

Advertisement

હુમલાખોર 'લક્ષ્મી' સિંહણ

મળતી માહિતી મુજબ જે સિંહણે હુમલો કર્યો છે તે આ વિસ્તારની જાણીતી 'લક્ષ્મી' (Lakshmi) સિંહણ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે સિંહો માણસો પર સીધો હુમલો કરતા નથી, પરંતુ મુક્ત થતી વખતે સિંહણ કોઈક કારણસર આક્રમક (Aggressive) બની ગઈ હોવાનું મનાય છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ (High officials) પણ આ ઘટના બાદ સતર્ક બની ગયા છે અને સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.

વનકર્મીઓના જોખમી કાર્યો

ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વનવિભાગના ટ્રેકર્સ રાત-દિવસ સિંહોની રક્ષા માટે જંગલોમાં ફરતા હોય છે. વન્યજીવોની સુરક્ષા (Wildlife protection) કરતી વખતે તેઓ સતત જોખમ હેઠળ કામ કરે છે. રામપરાની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વન્યપ્રાણીઓ સાથે કામ કરવું કેટલું પડકારજનક (Challenging) છે.

આ પણ વાંચોઃ Bhavnagar: પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો, વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×