Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch News: જુમ્મા મસ્જિદનો દ્વાર 700 વર્ષ બાદ બંધ, જૈન સમરી વિહાર હોવાનો દાવો, જાણો સમગ્ર વિવાદ

ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદ જૂનું 'જૈન સમરી વિહાર' હોવાના દાવા અને 6 મહિનાના વિવાદ બાદ પુરાતત્વ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરવાનગી વગરનું દબાણ દૂર કરાયું છે. આ સાથે જ 700 વર્ષ બાદ મસ્જિદનો એક દ્વાર બે લોક મારી બંધ કરાયો છે અને હવે અવરજવર માટે માત્ર એક જ દ્વાર ખુલ્લો રહેશે.
bharuch news  જુમ્મા મસ્જિદનો દ્વાર 700 વર્ષ બાદ બંધ  જૈન સમરી વિહાર હોવાનો દાવો  જાણો સમગ્ર વિવાદ
Advertisement

Bharuch Jumma Masjid controversy: ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા મસ્જિદ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદમાં રહી છે. આ વિવાદ વચ્ચે આજે વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આંદોલનો બાદ આખરે મસ્જિદ પરિસરમાં પુરાતત્વ વિભાગની મંજૂરી વગર કરવામાં આવેલું તમામ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવાની કામગીરી સવારથી જ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. આ સાથે જ મસ્જિદનો એક મુખ્ય દ્વાર 700 વર્ષના લાંબા સમયગાળા બાદ બે તાળા લગાવીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×