Chhotaudepur: તરસ છિપાવવા મહિલાઓનો કાળઝાળ ગરમીમાં રઝળપાટ, છતાં નસીબમાં માત્ર ગંદુ પાણી!
- Chhotaudepur: સિહાદામાં પાણી માટે રઝળપાટ
- 100 હેન્ડપંપ હોવા છતાં લોકો તરસ્યા!
- નળ સે જળ યોજના માત્ર કાગળ પર
- લગ્નમાં પણ ટેન્કરથી પાણી મંગાવવું પડે
Chhotaudepur Water Shortage: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા (Sihada) ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. આશરે 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકોને બે બેડા પાણી માટે દિવસભર રઝળપાટ કરવી પડી રહી છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે. સરકારની “નળ સે જળ” યોજના હેઠળ નળ તો લગાવાયા છે, પરંતુ તેમાં પાણી નહીં આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામલોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
100 જેટલા હેન્ડપંપ હોવા છતાં વિકટ સમસ્યા
કવાંટ (Kavant) તાલુકાનું સિહાદા ગામ આજે પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. ગામમાં આશરે 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી નથી મળતું. કલાકો સુધી હેન્ડ પંપ હલાવે છે ત્યારે માંડ કે ઘડો પાણી મળે છે .જેને મળે તેનું નસીબ ન મળે તો મહિલાઓ અને બાળકોને એક હેન્ડપંપ પરથી બીજા હેન્ડપંપ સુધી પાણી માટે ભટકવું પડે છે. દૂર દૂર સુધી મહિલા ઓ ને ભટકવું પડતું હોય ઉનાળા ના સમયે મહિલા ઓ ને ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે . આજ થી નહીં વર્ષો થી ગામ ના લોકો પીવા ના પાણી માટે ઝઝૂમે છે. આ ગામમાં સરકારની પાણીદાર યોજના નળ એ જળ યોજના પણ લાવવા માં આવે છે. પણ કોન્ટ્રાક્ટરે કેવળ વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. નળ સે જળ યોજના અંતર્ગત ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા પણ નળમાં પાણી નથી આવ્યું.
મહિલાઓને વહેલી સવારથી પાણી માટે વલખાં
સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી “નળ સે જળ” યોજના અહીં કાગળ પર જ સીમિત રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ તો મહિલા ઓ વહેલી સવાર થી હેન્ડપંપ પર કલાકો સુધી બેસી રહે છે. જે પાણી આવે છે તે ગંદુ આવે છે તેમ છતાં મહિલાઓ આ પાણી પીવા મજબુર બની છે જયારે ગમે તેમ કરી મહિલા ઓ બે બેડા પાણી માટે વલખાં મારે છે.થોડાજ સમય માં ટીપુ ટીપુ પાણી જે આવે છે તે પણ બંધ થઈ જશે .ત્યારે શું ? .કુવા અને બાજુ માંથી પસાર થતી ધામની નદી પણ હવે સૂકી ભટ્ટ બની છે. પાણી માટે વલખાં મારતાં ગામ લોકો માં ભારો ભાર આક્રોશ જોવાઈ રહ્યો છે.
સમસ્યા હલ કરવા ગ્રામજનોની માગ
એક તરફ ગામલોકો પોતાનાં પરિવાર માટે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. પાણીની અછતને કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી પાણીની સમસ્યા યથાવત છે છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકો હવે સરકાર પાસે તાત્કાલિક અને નક્કર પાણી ની યોજના અમલમાં મુકવાની માંગ કરી રહ્યા છે જેથી ગામને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળી શકે.
લગ્ન પ્રસંગમાં પાણી વિના હાલાકી
સૌથી વધુ પાણી ની તકલીફ જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તેમને પડે છે . આજે ગામ ના લગ્ન પ્રસંગ માં માંડવો બંધાયો છે , ઢોલ પણ ધબકી રહ્યા છે. શહેનાઇના સૂર પણ રેલાઈ રહ્યા છે. મહેમાનો પણ આવી ગયા ,પણ મહેમાને પીવાના પાણીની વ્યવસ્થા માટે વરરાજના ઘરના લોકો ટેન્કરો દ્વારા વેચાતું પાણી લાવી રહ્યા છે . વરરાજા નું કહેવું છે કે જ્યારે પણ ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યાં આજ સ્થિતિ ઉભી થાય છે.
મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓ
અહેવાલઃ સલમાન મેમણ


