Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

કોંગ્રેસ નેતા Virjibhai Thummar ના પત્ર સામે ભાજપ પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલનો જડબાતોડ જવાબ

Virjibhai Thummar Letter On Fake Milk : ગુજરાત (Gujarat) માં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ (Adulteration) મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજીભાઈ ઠુમ્મરે (Virji Thummar) રાજ્યમાં વ્યાપક સ્તરે વેચાતા નકલી દૂધ, પનીર અને ઘી અંગે મુખ્યમંત્રી (Chief Minister) ને પત્ર લખી ગંભીર રજૂઆત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્યના નાગરિકોના આરોગ્ય (Health) સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.
કોંગ્રેસ નેતા virjibhai thummar ના પત્ર સામે ભાજપ પ્રવક્તા ડૉ  અનિલભાઈ પટેલનો જડબાતોડ જવાબ
Advertisement
  • નકલી દૂધ, પનીર, ઘી મામલે કોંગ્રેસ નેતાનો CMને પત્ર
  • વીરજીભાઈ ઠુમ્મરે  (Virjibhai Thummar) મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની કરી માગ
  • પનીર, દૂધ, ઘીમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનો આરોપ
  • પ્રાંતિજ, વડિયામાં ઝડપાયેલ નકલી પનીરનો પત્રમાં ઉલ્લેખ
  • ભેળસેળ યુક્ત પદાર્થ અંગેના વિરજી ઠુમરના પત્ર અંગે ભાજપની પ્રતિક્રિયા

Virjibhai Thummar Letter On Fake Milk : ગુજરાત (Gujarat) માં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ (Adulteration) મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરે (Virjibhai Thummar) રાજ્યમાં વ્યાપક સ્તરે વેચાતા નકલી દૂધ, પનીર અને ઘી અંગે મુખ્યમંત્રી (Chief Minister) ને પત્ર લખી ગંભીર રજૂઆત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્યના નાગરિકોના આરોગ્ય (Health) સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.

કોંગ્રેસ નેતા વીરજીભાઈ ઠુમ્મર (Virjibhai Thummar) નો મુખ્યમંત્રીને સ્ફોટક પત્ર

તાજેતરના કૌભાંડોનો ઉલ્લેખ: વીરજીભાઈ ઠુમ્મરે પ્રાંતિજમાં ઝડપાયેલા પનીર ભેળસેળ કૌભાંડ (Scam) અને અમરેલીના વડિયામાં જપ્ત કરાયેલા નકલી પનીરનો ખાસ ઉલ્લેખ કર્યો છે.

Advertisement

અધિકારીઓની સંડોવણી: અમરેલીના વડિયામાં જે નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું, તેમાં જવાબદાર અધિકારીઓ (Officials) ની પણ મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે.

Advertisement

તંત્રની નિષ્ક્રિયતા: તેમણે આરોગ્ય અને ફૂડ વિભાગ (Food and Drug Department) પર નિશાન સાધતા જણાવ્યું કે આ વિભાગ સંપૂર્ણપણે નિષ્ક્રિય (Inactive) છે, જેના કારણે ભેળસેળિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે.

હોટલ અને દુકાનોમાં સપ્લાય: આ નકલી પનીર, દૂધની બનાવટો અને ઘીનો જથ્થો મોટા પાયે મીઠાઈની દુકાનો અને હોટલોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે, જે સામાન્ય જનતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

કડક તપાસની માંગ

વીરજીભાઈ ઠુમ્મરે પત્રમાં માંગ કરી છે કે માત્ર નાના કેન્દ્રો જ નહીં, પરંતુ રાજ્યના તમામ મહાનગરો (Metropolitan Cities) માં સઘન તપાસ (Investigation) હાથ ધરવામાં આવે અને આ મોટા રેકેટ (Racket) નો પર્દાફાશ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ભેળસેળ યુક્ત પદાર્થ અંગેના વિરજીભાઈ ઠુમરના પત્ર અંગે ભાજપની પ્રતિક્રિયા

વિરજીભાઈ ઠુમર દ્વારા લખવામાં આવેલા પત્રના જવાબમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ આક્રમક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે સરકારનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે સરકાર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક વલણ ધરાવે છે.ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા અને વેચતા એકમો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ પણ સ્તરે બાંધછોડ કરવામાં આવશે નહીં.સરકારે ભૂતકાળમાં પણ અખાદ્ય પદાર્થો અને ભેળસેળિયાઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી છે, જેના પરિણામે અનેક નમૂનાઓ લેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર એકમો સીલ કરવામાં આવ્યા છે.સરકાર આવા અસામાજિક તત્વોને છોડવા માંગતી નથી. લોકોના આરોગ્ય સાથે રમત કરનારા તત્વો સામે કાયદાકીય કડક પગલાં લેવાની સરકારની મક્કમ તૈયારી છે.

આ પણ વાંચો :  Surat: કોસંબાના PSI એ.ડી. ધાંધલ સસ્પેન્ડ, જાણો કઈ બેદરકારી ભારે પડી

Tags :
Advertisement

.

×