Dwarka News: ભાણવડના ક્રિષ્ણગઢમાં ઝેરી બી ખાવાથી 6 બાળકોની હાલત ગંભીર
ભાણવડના ક્રિષ્ણગઢ ગામે ખેત મજૂરોનાં 7 બાળકોએ ભૂલથી ઝેરી વનસ્પતિના બી ખાઈ લેતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બાળકોને તાત્કાલિક ભાણવડ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી શ્રમિક પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. બાળકો હાલ તબીબી નિરીક્ષણ હેઠળ છે.
Advertisement
Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ક્રિષ્ણગઢ ગામે એક ગંભીર ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારોના 6 બાળકોએ અજાણતામાં ઝેરી વનસ્પતિના બી ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી. આ ઘટનાને પગલે પરિવારોમાં ભારે ગભરાટ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

