Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dwarka News: રાવલ ગામેથી SOG એ એક્સપાયરી દવા સહિત ભેળસેળયુક્ત ખાતર ઝડપ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે SOG દ્વારા ગુરુકૃપા કૃષિ કેન્દ્ર પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક્સપાયરી ડેટ વાળી દવાઓ, ભેળસેળયુક્ત બિયારણ અને ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પ્રતિબંધિત વેટાવેક્સ દવા સહિત કુલ રૂ. 5.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને ખેડૂતોને છેતરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
dwarka news  રાવલ ગામેથી sog એ એક્સપાયરી દવા સહિત ભેળસેળયુક્ત ખાતર ઝડપ્યું
Advertisement

Dwarka News: દેવભૂમિ દ્વારકા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાવલ ગામે આવેલા ગુરુકૃપા કૃષિ કેન્દ્ર પર મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન દુકાનમાં રાખવામાં આવેલ જથ્થાની ગંભીર તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે તેવી અનેક સામગ્રીઓ મળી આવી હતી.

ભેળસેળ અને એક્સપાયરી દવાનો પર્દાફાશ

તપાસ દરમિયાન કૃષિ કેન્દ્રમાંથી મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટ વાળી જંતુનાશક દવાઓ, ખાતર અને બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને ખાસ કરીને સ્ટીકર વગરની શંકાસ્પદ જંતુનાશક દવાઓની 32 બોટલ મળી આવી છે, જે ખેડૂતોના પાક માટે જોખમી સાબિત થઈ શકે છે. આટલું જ નહીં, પ્રતિબંધિત 'વેટાવેક્સ' નામની દવાની અસલી બોટલોને બદલે અન્ય બોટલોમાં ભરીને વેચાણ કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે, જે એક મોટું છેતરપિંડીનું કૌભાંડ હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

5.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

SOGની ટીમે સ્થળ પરથી તપાસ કરતા 135 બોરી ખાતરનો શંકાસ્પદ સ્ટોક પણ મળી આવ્યો હતો. કુલ મળીને આ દરોડામાં રૂ. 5 લાખ 29 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે. ખેડૂતોના સ્વાસ્થ્ય અને તેમના પાક સાથે ચેડા કરતા આ કૃષિ કેન્દ્રના સંચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

ખેડૂતોમાં ફેલાયેલો રોષ

આ ઘટના બાદ સ્થાનિક ખેડૂતોમાં વેપારીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે આવા વેપારીઓ માત્ર આર્થિક જ નહીં પરંતુ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને પાયમાલ પણ કરે છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ ભેળસેળયુક્ત માલ ક્યાંથી આવતો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે.

આ પણ વાંચોઃ  Gandhinagar News: ANTF એ ગાંજાની હેરાફેરી કર્યો પર્દાફાશ, નેપાળથી બિહાર થઈને ગુજરાત સુધીનું નેટવર્ક

Tags :
Advertisement

.

×