Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Anand: પેટલાદ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

આણંદ (Anand) જિલ્લાના પેટલાદ (Petlad) માં આવેલ પવિત્ર સ્વામિનારાયણ મંદિર (Swaminarayan temple) માં આજે વહેલી સવારે આગની ઘટના બનતા હડકંપ મચી ગયો હતો. મંદિરના રસોડા વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા ભક્તો અને સેવાધારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
anand  પેટલાદ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
Advertisement
  • આણંદ (Anand) ના પેટલાદ (Petlad) માં મોટી જાનહાનિ ટળી
  • સ્વામિનારાયણ મંદિર (Swaminarayan temple) માં લાગી હતી આગ
  • મંદિરના રસોડા વિભાગમાં ભડકો થયો
  • ગેસ સ્ટવમાં અચાનક થયો હતો ભડકો
  • આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

આણંદ (Anand) જિલ્લાના પેટલાદ (Petlad) માં આવેલ પવિત્ર સ્વામિનારાયણ મંદિર (Swaminarayan temple) માં આજે વહેલી સવારે આગની ઘટના બનતા હડકંપ મચી ગયો હતો. મંદિરના રસોડા વિભાગમાં અચાનક આગ ફાટી નીકળતા ભક્તો અને સેવાધારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત થતા અટકી ગઈ છે.

anand fire- Gujarat first2

Advertisement

ગેસ સ્ટવમાં અચાનક થયો ભડકો

ઘટનાની વિગત મુજબ, મંદિરના રસોડામાં જ્યારે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ગેસ સ્ટવ/સ્ટીમરમાં ટેકનિકલ ખામી સર્જાતા જોરદાર ભડકો થયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને રસોડામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Advertisement

ભક્તોમાં મચી નાસભાગ, CCTV આવ્યા સામે

જે સમયે આગ લાગી ત્યારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો સેવામાં હાજર હતા. આગની જ્વાળાઓ જોતા જ જીવ બચાવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનાCCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આગ કેટલી ભયાનક હતી અને લોકો કઈ રીતે જીવ બચાવવા દોડી રહ્યા છે.

anand fire- Gujarat first2

ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

ઘટનાની જાણ થતા જ પેટલાદ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી, જેનાથી વહીવટી તંત્ર અને મંદિર પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: Gujarat schools : ગુજરાતની શાળાઓમાં 'બોમ્બ થ્રેટ' થી ફફડાટ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજાનું નિવેદન

Tags :
Advertisement

.

×