Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: કેવી રીતે ઉભી કરાઈ આખી નકલી કોલેજ ? RTI માં થયો ચોંકાવનારો ખુલાસો

Gir Somnath: ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી દે તેવી એક ઘટના ગીરસોમનાથ જિલ્લામાં સામે આવી છે. જિલ્લાના ઉના (Una) તાલુકાના ભાચા ગામે કાર્યરત 'વી.બી. નાંડોળા' (V.B. Nandola) નામની B.ED કોલેજ સંપૂર્ણપણે નકલી (Fake) હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ બહાર આવતા જ શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
gir somnath   કેવી રીતે ઉભી કરાઈ આખી નકલી કોલેજ   rti માં થયો ચોંકાવનારો ખુલાસો
Advertisement
  • ગીરસોમનાથ (Gir Somnath) માં નકલી B.ED કોલેજનો પર્દાફાશ
  • ઉના (Una) ના ભાચામાં ચાલતી હતી વી.બી.નાંડોળા કોલેજ
  • NCTEના બોગસ મંજૂરી પત્રથી ઉભી કરી કોલેજ
  • કોલેજ નકલી હોવાનો RTIમાં થયો ખુલાસો
  • NCTE એ કોઈ મંજૂરી ન આપવાનો કર્યો ઘટસ્ફોટ
  • નરસિંહ મહેતા યુનિ. દ્વારા કોલેજની પરીક્ષા પણ લેવાઈ

Gir Somnath: ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી દે તેવી એક ઘટના ગીરસોમનાથ જિલ્લામાં સામે આવી છે. જિલ્લાના ઉના (Una) તાલુકાના ભાચા ગામે કાર્યરત 'વી.બી. નાંડોળા' (V.B. Nandola) નામની B.ED કોલેજ સંપૂર્ણપણે નકલી (Fake) હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ બહાર આવતા જ શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

RTI દ્વારા થયો પર્દાફાશ

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ (RTI - Right to Information) માં ચોંકાવનારી વિગતો સામે આવી. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં જાણવા મળ્યું કે, આ કોલેજ પાસે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ની કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી (Official Approval) નથી.

Advertisement

બોગસ સહી અને દસ્તાવેજોનો ખેલ

તપાસમાં ખુલાસો થયો છે કે કોલેજ સંચાલકોએ NCTE ના નામે બોગસ મંજૂરી પત્ર (Bogus Permission Letter) તૈયાર કર્યો હતો. આટલું જ નહીં, કૌભાંડીઓએ હદ વટાવતા ડૉ. મીતુ ભારતી અને રિજનલ ડિરેક્ટર (Regional Director) ની નકલી સહીનો (Forged Signature) ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા. કોલેજે 100 વિદ્યાર્થીઓની બેચ માટે મંજૂરીની અરજી કરી હોવાનો ડોળ કરીને આ આખું માળખું ઉભું કર્યું હતું.

Advertisement

યુનિવર્સિટીની બેદરકારી પર સવાલો

સૌથી ગંભીર બાબત એ છે કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU) દ્વારા આ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા (Examination) પણ લેવામાં આવી હતી. યુનિવર્સિટી જેવી જવાબદાર સંસ્થાએ કોલેજની માન્યતાની ખરાઈ કર્યા વગર પરીક્ષા કેવી રીતે લીધી, તે અત્યારે તપાસનો (Investigation) મોટો વિષય બન્યો છે.

વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ

આ પર્દાફાશ થવાને કારણે 100 જેટલા વિદ્યાર્થીઓની કારકિર્દી (Career) પર જોખમ તોળાઈ રહ્યું છે. નકલી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તેમની ડિગ્રી (Degree) અમાન્ય ઠરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરવાની માંગ પ્રબળ બની છે.

આ પણ વાંચો :  Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં ગરમાવો, સત્તાધીશો અને વિદ્યાર્થીઓ વચ્ચે જંગ છેડાયો

Tags :
Advertisement

.

×