Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav-Tharad: નાગલા ગામે લોહિયાળ ખેલ, જૂની અદાવતમાં આધેડ પર છરીના ઘા ઝીંકાયા, જાણો સમગ્ર મામલો

થરાદના નાગલા ગામે ખેતરની વાડ બાબતે બે વર્ષ જૂની અદાવતમાં દિનેશ ઠાકોર નામના શખ્સે એક આધેડ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં આધેડને હોસ્પિટલ ખસેડાયા છે. થરાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલભેગો કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
vav tharad  નાગલા ગામે લોહિયાળ ખેલ  જૂની અદાવતમાં આધેડ પર છરીના ઘા ઝીંકાયા  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Vav-Tharad ના નાગલા ગામે આધેડ પર હુમલાનો મામલો
  • જીવલેણ હુમલો કરનાર આરોપી દિનેશ ઠાકોર ઝડપાયો
  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ

Vav-Tharad: ગુજરાતમાં સતત હિંસાત્મક ઘટનાઓ વધી રહી છે. કોઈને કોઈ બાબતેને લઈ લોકો ઉગ્ર બની જતાં હોય છે. આવી જ એક ઘટના વાવ-થરાદ જીલ્લામાંથી આવી છે.  થરાદના નાગલા ગામે (Nagla village)  એક આધેડ વ્યક્તિ પર જીવલેણ હુમલો (Deadly Attack) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ આધેડને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. ખેતરની વાડ બાબતે ચાલી આવતી બે વર્ષ જૂની અદાવતનું પરિણામ લોહિયાળ હુમલામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂની અદાવતમાં છરીના ઘા ઝીંક્યા

ઘટનાની વિગતો મુજબ નાગલા ગામે મોડી રાત્રે આરોપી દિનેશ ઠાકોરે (Dinesh Thakor) પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આધેડ પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીએ આધેડના શરીર પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ થરાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી દિનેશ ઠાકોરને દબોચી લીધો છે.

Advertisement

ખેતરની વાડનો વિવાદ બન્યો હુમલાનું કારણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર અને આરોપી વચ્ચે છેલ્લા બે વર્ષથી ખેતરની વાડ બનાવવા બાબતે વિવાદ (Dispute) ચાલી રહ્યો હતો. આ બાબતે અગાઉ પણ બંને પક્ષો વચ્ચે મોટી બબાલ થઈ હતી. એ જ જૂની અદાવત મનમાં રાખીને આરોપીએ મોડી રાત્રે અંધારાનો લાભ લઈ હુમલો કર્યો હતો. હાલમાં ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ મામલે થરાદ પોલીસે ગુનો નોંધી આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવા અને હુમલા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે. સરહદી વિસ્તારમાં વધતી જતી આવી હિંસક ઘટનાઓને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Tags :
Advertisement

.

×