Chandipura Virus: પંચમહાલ જિલ્લામાં વાયરસનો આતંક, સિવિલથી અમદાવાદ લાવતા રસ્તામાં જ તોડ્યો દમ
Chandipura Virus: પંચમહાલના (Panchmahal) ગોધરાના મણિપુર ગામના 1 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. જિલ્લામાં આ વાયરસથી કુલ 3 બાળકોના મોત થયા છે. આરોગ્ય વિભાગે સર્વેલન્સ કરી 300 થી વધુ સેન્ડફ્લાય (Sandfly) માખીઓ પકડી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં દવા છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરી છે.
Advertisement
Chandipura Virus: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં જીવલેણ ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) વધુ એક માસૂમનો ભોગ લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના મણિપુર (Manipur) ગામના મહુડી ફળિયામાં રહેતા માત્ર 1 વર્ષના એક માસૂમ બાળકમાં ચાંદીપુરા વાયરસના ગંભીર લક્ષણો (Symptoms) જોવા મળ્યા હતા. બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યું હતું.

