Pavagadh: પાવાગઢ જતા યાત્રિકો ખાસ વાંચો! પથ્થરો પડવાની ઘટના બાદ સુરક્ષા માટે શું છે પ્લાન?
પાવાગઢમાં પથ્થરો ધરાશાયી થવાની ઘટના બાદ તપાસ સમિતિએ તારણો સાથેનો રિપોર્ટ સબમિટ કર્યો છે. સમિતિએ ફૂટ પેટ્રોલિંગ દ્વારા જોખમી પેચો શોધીને ભારે વરસાદમાં પર્વત ચઢવા પર પ્રતિબંધ, રાત્રિ પ્રવેશબંધી અને રેવાપથ બંધ રાખવા જેવી મહત્વની ભલામણો કરી છે. યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ-ફોરેસ્ટ વિભાગના સંકલન સાથે ટેકનિકલ સર્વે કરાવવાનું પણ સૂચવાયું છે.
Advertisement
Pavagadh News: પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) થોડા દિવસો પહેલા પથ્થરો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ ગંભીર મામલાને પગલે વહીવટી તંત્ર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ખાસ તપાસ સમિતિએ પોતાનો વિસ્તૃત રિપોર્ટ સબમિટ (Report Submitted) કરી દીધો છે. સમિતિના સભ્યોએ માચીથી લઈને ઉપર મંદિર સુધીના સમગ્ર માર્ગ પર ઝીણવટભર્યું ફૂટ પેટ્રોલિંગ (Foot Patroling) કરીને આખા રસ્તાનું તારણ કાઢ્યું છે.

