Patan: આગામી સ્થાનિક ચૂંટણી જીતવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી પાટણ (Patan) જિલ્લાના ચાણસ્મા (Chanasma) ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) ની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું. આજે સોમવારે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર (Lavingji Thakor) અને અન્ય વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં સંગઠનલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે રૂબરૂ મુલાકાત કરી આગામી રણનીતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Patan: ભવ્ય સ્વાગત કરાયું
ચાણસ્મા ખાતે આયોજિત આ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) નું કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા કેસરી ખેસ પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાણસ્મા (Chanasma), હારીજ (Harij), શંખેશ્વર (Sankheshwar) અને સમી (Sami) તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના કાર્યકર સુધી પક્ષની વિચારધારા પહોંચાડવાનો અને સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવાનો રહ્યો હતો.
![patan bjp_GujaratFirst 11]()
કોંગ્રેસ પર પ્રહાર પ્રહાર
જગદીશભાઈ વિશ્વકર્માએ અહીં કોંગ્રેસ પર પ્રહાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે ગેસના બાટલા તમારી દાદીએ આપ્યા નથી કે તમારા દાદાએ આપ્યા નથી, તો તમે આપ્યા તો વિધાનસભા બહાર બાટલા થઈ રહ્યા થઈ રહ્યા તેવી બૂમો પાડો છો! ખાલી તમે પૂછશો કે નેહરુજીને કે તમારી દાદી ઇન્દિરા ગાંધીને કોઈ વિચાર આવ્યો હતો કે મારે બાટલા આપવા છે, બહેનો કે માતાઓ ચૂલા પર રસોઈ કરે છે પણ તેમને રસોઈ કરી હોય તો ખબર પડે ને ચૂલો કેમ ફૂંકાય!
વરિષ્ઠ નેતાઓની ગરિમામય હાજરી
આ સંમેલનમાં મંચ પર પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ (Ajaybhai Brahmbhatt), જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર (Lavingji Thakor) એ પણ હાજર રહીને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. વક્તાઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.
બૂથ પ્રમુખના ઘરે ચાની ચુસ્કી અને ગ્રામજનો સાથે સંવાદ
સંમેલન પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાટણ જિલ્લાના પ્રવાસ દરમિયાન મણિપુરા (ટકોદી ) ગામની મુલાકાત લીધી હતી.![patan bjp_GujaratFirst 1]()
અહીં તેમણે બૂથ નંબર 207 ના પ્રમુખ ઈશ્વરજી ગફુરજી ઠાકોર (Ishwarji Gafurji Thakor) ના નિવાસસ્થાને જઈને ખૂબ જ સાદગીપૂર્વક કાર્યકર્તાઓ સાથે ચા પીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી, જે પક્ષની 'સંપર્ક અને સંવાદ'ની નીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચોઃ Patan Firing Case: ભેંસોના વેપારીની હત્યા કરનાર 4 શખ્સો ઝડપાયા, 2 હજુ ફરાર, જાણો સમગ્ર મામલો